SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૪ ] શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :- સંયમશીલ સાધુ, સાધ્વીએ ભાષાના વિષયમાં જાણવું જોઈએ કે બોલતા પહેલાં ભાષા ભાષા વર્ગણાના પુદ્ગલ રૂપ હોવાથી અભાષા છે. બોલતા સમયે ભાષા ભાષા હોય છે અને બોલ્યા પછી (બોલવાનો સમય વીત્યા પછી) બોલેલી ભાષા અભાષા થઈ જાય છે. | ५ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा जा य भासा सच्चा, जा य भासा मोसा, जा य भासा सच्चामोसा जा य भासा असच्चामोसा तहप्पगारं भासं सावज्ज सकिरियं कक्कसं कडुयं णिठुरं फरुसं अण्हयकरिं छेयणकरिं भेयणकरिं परितावणकरिं उद्दवणकरिं भूओवघाइयं अभिकंख णो भासेज्जा । શઉદાર્થ:- સાવ નં ર = પાપકારી, સક્રિય-ક્રિયા યુક્ત H = કર્કશ દુર્ઘ = કટુ, મનને ઉદ્વેગ કરનારી fu= નિષ્ફર પાસે = રૂક્ષ-સ્નેહ રહિત વચન ગઠ્ઠયoR = કર્મોનો આશ્રય કરનારી છેયR = જીવોનું છેદન કરનારી મેયર = ભેદન કરનારી પરિતાવાર = પરિતાપ કરનારી ૩વણવર = ઉપદ્રવ કરનારી મૂવયા = જીવોનો નાશ કરનારી મg = મનમાં વિચારીને આ પ્રકારની ભાષા નો માળા = બોલે નહિ. ભાવાર્થ :- સાધુ-સાધ્વી ભાષાના ભેદોના વિષયમાં જાણે કે જે સત્યા ભાષા, મૃષા ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા છે, તે જો પાપકારી, અનર્થકારી, કર્કશકારી, કઠોરકારી, નિષ્ફર, રૂક્ષ-મર્મકારી, રૂક્ષ-આશ્રવકારી, છેદકારી, ભેદકારી, પરિતાપકારી, ઉપદ્રવકારી તેમજ પ્રાણીઓનો ઘાત કરનારી હોય, તો વિચારશીલ સાધુએ તેવી ભાષાનો પ્રયોગ કરવો જોઈએ નહિ. ६ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा- जा य भासा सच्चा सुहुमा, जा य भासा असच्चामोसा; तहप्पगारं भासं असावज्ज अकिरियं जाव अभूओवघाइयं अभिकख भासेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ભાષાના વિષયમાં જાણે કે જે ભાષા સૂક્ષ્મ-સંપૂર્ણ સત્ય છે તથા જે અસત્યામૃષા-વ્યવહારભાષા છે, આ બંને ભાષા અસાવધ, અક્રિય થાવ જીવોની ઘાતક નથી, તો સંયમશીલ સાધુ તે બંને પ્રકારની ભાષાઓ બોલી શકે છે. વિવેચન - પ્રસ્તુત સુત્રોમાં ભાષાનું સ્વરૂપ, તેની ઉત્પત્તિ, તેના ચાર પ્રકાર તથા બોલવા યોગ્ય બે પ્રકારની ભાષાનું વર્ણન છે. ભાષાનું સ્વરૂપ –મુખ દ્વારા બોલાતો શબ્દ સમૂહ ભાષા કહેવાય છે. કેટલાક દાર્શનિકો શબ્દને આકાશનો ગુણ અને અરૂપી માને છે, પરંતુ જૈન દર્શનાનુસાર શબ્દ પૌલિક છે, તેથી જ તે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય છે, મશીનો દ્વારા અન્યત્ર મોકલી શકાય છે, તેની ઉત્પત્તિ અને વિનાશ થાય છે અને તે પૌગલિક હોવાથી તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે, તેથી તે રૂપી છે. પુલ્વ ભાસ અમાસ :- ભાષા વર્ગણાના પુદગલો વચન યોગથી નીકળ્યા પહેલા ભાષા વણાના પુદ્ગલ રૂપ હોવાથી ભાષા રૂપે કહેવાતા નથી, પરંતુ અભાષા રૂપ જ હોય છે. વચન યોગથી જ્યારે ભાષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy