SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૩ : ઉદ્દેશક-૨ પોતાના પગને સાફ કરવા માટે લીલોતરીનું વારંવાર છેદન કરીને તથા લીલા પાંદડા ભેગા કરીને લીલા પાંદડાને તોડીને-વાળીને તેની સાથે પગ ઘસીને પગ પરની માટી કે કાદવ કાઢે નહિ તેમજ લીલોતરીની હિંસા કરવા માટે ઉન્માર્ગમાં જાય નહિ, માટી અને કીચડથી ખરડાયેલા પગ દ્વારા લીલોતરી પર ચાલવાથી કીચડ નીકળી જાય, આ પ્રમાણે વિચારીને તથાપ્રકારનું આચરણ કરનાર સાધુ માયા સ્થાનનું સેવન કરે છે. સાધુ આ પ્રમાણે કરે નહિ. તે પહેલાથી જ લીલોતરી રહિતના રસ્તાનું પ્રતિલેખન કરે, જુએ અને ત્યાર પછી યતત્તાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે. ૧૫૭ १६ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से वप्पाणि वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा अग्गलपासगाणि वा गड्डाओ वा दरीओ वा सइ परकम्मे संजयामेव परक्कमेज्जा, जो उज्जयं મક્કેન્ના । જેવલી બ્રૂયા- આયાળમાં । से तत्थ परक्कममाणे पयलेज्ज वा पवडेज्ज वा, से तत्थ पयलमाणे वा पवडमाणे वा रुक्खाणि वा गुच्छाणि वा गुम्माणि वा लयाओ वा वल्लीओ वा तणाणि वा गहणाणि वा हरियाणि वा अवलंबिय- अवलंबिय उत्तरेज्जा, जे तत्थ पाडिपहिया उवागच्छंति ते पाणी जाएज्जा, तओ संजयामेव अवलंबिय- अवलंबिय उत्तरेज्जा । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । શબ્દાર્થ :- अंतरा = રસ્તામાં વખાળિ = ખેતરના ક્યારા લિખિ = ખાઈપાણિ =કિલ્લો તોરબાળિ = તોરણ–દરવાજો અન્વત્તષિ = અર્ગલા અાલાક્ષણિ = આગળિયો લગાવવાનો ખીલો गड्डाओ = ખાડો ીયો = પર્વતનીગુફા. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરી રહ્યા હોય ત્યારે રસ્તામાં જો ખેતરના ક્યારા, ખાઈ, કિલ્લો, નગરનો મુખ્ય દરવાજો, આગળિયો કે આગળિયાનો ખીલો, ખાડો, ગુફા કે ભૂગર્ભ માર્ગ હોય તો જો અન્ય સુમાર્ગ હોય, તો તે રસ્તેથી યતનાપૂર્વક ગમન કરે પરંતુ આ સીધા રસ્તે ચાલે નહિ. કેવલી ભગવાને તેને કર્મબંધનું કારણ કહ્યું છે. Jain Education International આવા વિષમ માર્ગમાં ચાલવાથી સાધુ, સાધ્વીના પગ લપસી જાય છે, તે ખાડા આદિમાં પડી પણ જાય છે, તેથી ત્યાં જો વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, ગહન એટલે લતાઓનું ઝુંડ તેમજ ઘાસ આદિ લીલોતરીને પકડીને બહાર નીકળવું પડે અથવા ત્યાં કોઈ મુસાફર આવે તો તેના હાથના સહારાની યાચના કરી તેના હાથનો સહારો લઈને ખાડા આદિમાંથી બહાર નીકળવું પડે, આ સર્વ દોષયુક્ત છે, માટે આ દોષયુક્ત માર્ગને છોડીને સાધુ અન્ય નિર્દોષ માર્ગ દ્વારા એક ગામથી બીજા ગામમાં વિચરણ કરે. |१७ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे, अंतरा से जवसाि वा सगडाणि वा रहाणि वा सचक्काणि वा परचक्काणि वा, सेणं वा विरूवरूवं संणिविट्ठ पेहाए सइ परक्कमे संजयामेव परक्कमेज्जा णो उज्जुयं गच्छेज्जा । શબ્દાર્થ: નવસાળિ = જવ, ઘઉં આદિ ધાન્ય સનકાળિ = ગાડા, ગાડી રહ્યા = રથ સવવાળિ = સ્વચક્ર—પોતાના રાજ્યની સેના પરત્તાખિ = બીજા રાજ્યની સેના. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy