SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ से णेवं वयंतं परो सहसा बलसा बाहाहिं गहाय णावाओ उदगंसि पक्खिवेज्जा, तं णो सुमणे सिया, णो दुम्मणे सिया, जो उच्चावयं मणं णियच्छेज्जा, णो तेसिं बालाणं घायाए वहाए समुट्टेज्जा । अप्पुस्सुए जाव समाहीए । तओ संजयामेव उदगंसि पवेज्जा । ૧૫૨ = શબ્દાર્થ:- સે જેવં = તે આ પ્રમાણે વયંત = બોલતા જો પરો = બીજા ગૃહસ્થ સહસા = અચાનક એકાએક, જલદીથી વત્તા – બળપૂર્વક ચાર્જિં હોય = હાથ પકડીને ખાવા – નાવમાંથી વાલિ = પાણીમાં પવિહવેના = ફેંકી દેતા = તે સાધુ ષો સુમળે સિયા = પ્રસન્ન થાય નહિ કે જો તુમ્મળે સિયા = અપ્રસન્ન થાય નહિ નો સન્માવયં મળ્યું બિયચ્છેખ્ખા = મનમાં કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે નહિ તેલિ વાલા” = તે અજ્ઞાની જીવોની નો યાયાર્ વાર્ સમુદ્રેખ્ખા = ઘાત કરવા કે વધ કરવા તૈયાર થાય નહિ અખુલ્લુમ્ નાવ સમાપ્તિણ્ = રાગદ્વેષ રહિત થઈ યાવત્ સમાધિપૂર્વક સંયમમાં વિચરે તો = ત્યાર પછી સંખયામેવ = યતનાપૂર્વક ફાંસિ વેખ્ખા = પાણીમાં શાંતિપૂર્વક વહે. ભાવાર્થ :- સાધુ જાણે કે આ અત્યંત ક્રૂરકર્મી અજ્ઞાની મને અવશ્ય ભુજાથી પકડીને નાવમાંથી બહાર પાણીમાં ફેંકી દેશે. તો તે ફેંકે તે પહેલા જ તે ગૃહસ્થોને કહે કે– હે આયુષ્યમાન ગૃહસ્થો ! તમો મને ભુજાથી પકડીને નાવમાંથી બહાર પાણીમાં ફેંકો નહિ, હું પોતે જ નાવમાંથી બહાર નીકળીને પાણીમાં ઉતરી જઈશ. આમ કહેવા છતાં પણ કોઈ અજ્ઞાની વ્યક્તિ જલદીથી જબરજસ્તીથી સાધુને હાથ પકડીને નાવમાંથી બહાર પાણીમાં ફેંકી દે, તો પાણીમાં પડેલા સાધુ મનમાં હર્ષ કે શોક કરે નહિ, મનમાં કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે નહિ અને તે અજ્ઞાનીજનોની ઘાત કે વધ કરવા તૈયાર થાય નહિ, રાગ-દ્વેષથી રહિત થઈ યાવત્ મુનિ સમાધિ યુક્ત પરિણામોમાં રહે અને પાણીમાં વહે.(પોતે તરવાનો પ્રયત્ન કરે નહિ પણ પ્રવાહ જેમ લઈ જાય તેમ વહે). ४ से भिक्खु वा भिक्खूणी वा उदगंसि पवमाणे णो हत्थेण हत्थं, पाएण पायं, कारण कायं आसाएज्जा । से अणासायमाणे तओ संजयामेव उदगंसि વેા । ભાવાર્થ: સાધુ કે સાધ્વી પાણીમાં તણાતા, અપ્કાય જીવોની રક્ષા માટે પોતાના એક હાથથી બીજા હાથનો તેમજ એક પગથી બીજા પગનો તથા શરીરના એક અવયવથી બીજા અવયવોનો સ્પર્શ કરે નહિ, હાથ-પગ હલાવ્યા વિના પાણી ઉપર શ્વાસ રૂંધીને વહેતા રહે. ५ से भिक्खु वा भिक्खुणी वा उदगंसि पवमाणे णो उम्मग्गणिमग्गियं करेज्जा, मा मेयं उदगं कण्णेसु वा अच्छीसु वा णक्कंसि वा मुहंसि वा परियावज्जेज्जा, तओ संजयामेव उदगंसि पवेज्जा । શબ્દાર્થ: જો કમ્મ-ખિમળિય રેા = નીચે, ઉપર ડૂબકી મારવાનો પ્રયત્ન કરે નહિ. ભાવાર્થ:· સાધુ કે સાધ્વી પાણીમાં તણાતા સમયે ડૂબકી મારવાનો કે ઉપર આવવાનો પ્રયત્ન કરે નહિ, પરંતુ આ પાણી કાનમાં, આંખમાં, નાકમાં કે મુખમાં ભરાઈ ન જાય તેનું ધ્યાન રાખીને યતનાપૂર્વક પાણીમાં તણાતા રહે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy