SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૨: ઉદ્દેશક-૧ ૧૦૫ | ભાવાર્થ :- ગૃહસ્થની સાથે એક મકાનમાં રહેવું, તે સાધુ માટે કર્મબંધનું કારણ છે– મકાનમાં રહેતા ગૃહસ્થના કુંડળ, કંદોરો, મણિ, મોતી, ચાંદી, સોનું કડા, બાજુબંધ, ત્રણસરો હાર, લાંબી માળા, અઢારસરો હાર, નવસરો હાર, એકાવલી હાર, કનકાવલી હાર, મુક્તાવલી હાર, રત્નાવલી હાર અથવા વસ્ત્રાભૂષણથી અલંકૃત અને વિભૂષિત યુવતી કે કુંવારી કન્યાને જોઈને સાધુના મનમાં આ પ્રમાણે સંકલ્પ-વિકલ્પ ઉત્પન્ન થાય કે આવા આભૂષણો આદિ મારા ઘરમાં પણ હતા કે ન હતા, તેમજ મારી સ્ત્રી કે કન્યા પણ આવી હતી અથવા આવી ન હતી. તેઓને જોઈને આ પ્રમાણે બોલે અથવા મનોમન તેવા ભાવ થાય છે. તેથી તીર્થકરોએ પહેલેથી જ સાધુને માટે આ પ્રકારની પ્રતિજ્ઞા યાવતુ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહે નહિ, ત્યાં શયનાસન આદિ કરે નહિ. १५ आयाणमेयं भिक्खुस्स गाहावईहिं सद्धिं संवसमाणस्स- इह खलु गाहावइणीओ वा गाहावइधूयाओ वा गाहावइसुण्हाओ वा गाहावइधाईओ वा गाहावइदासीओ वा गाहावइकम्मकरीओ वा, तासिं च णं एवं वुत्तपुव्वं भवइजे इमे भवंति समणा भगवंतो जाव उवरया मेहुणाओ धम्माओ, णो खलु एएसिं कप्पइ मेहुणधम्मपरियारणाए आउट्टित्तए, जा य खलु एएसिं सद्धिं मेहुणधम्म परियारणाए आउट्टेज्जा, पुत्तं खलु सा लभेज्जा ओयस्सि तेयस्सि वच्चस्सि जसस्सि संपराइयं आलोयणदरिसणिज्जं । एयप्पगारं णिग्योसं सोच्चा णिसम्म तासिं च णं अण्णयरी सड्डी तं तवस्सि भिक्खं मेहुणधम्मपरियारणाए आउट्टावेज्जा । अह भिक्खूणं पुव्वोवदिट्ठा जाव जं तहप्पगारे सागारिए उवस्सए णो ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ :- પરિવાર TIE = સેવન કરવા માટે આ૩ન્ના = અભિલાષા કરે, પ્રવૃત્ત થાય પક્ષ = તેઓને મેદુધમ્મપરિવારના = મૈથુનધર્મ સેવન કરવા માટે ગોયલ્સ = ઓજસ્વી-બળવાન તેલ્સિ = તેજસ્વી વલિ = વર્ચસ્વી-રૂપવાન = યશસ્વી સંપદ્ય = સંગ્રામમાં શુરવીર કાયાવરણન્ન = આલોકનીય અને દર્શનીય આડવિઝા = આકર્ષિત કરે, પ્રવૃત્ત કરાવે. ભાવાર્થ :- ગૃહસ્થોની સાથે એક જ મકાનમાં રહેવું, તે સાધુને માટે કર્મબંધનું કારણ છે– સાધુ જ્યારે ગૃહસ્થની સાથે રહે છે ત્યારે તે ગૃહસ્થની પત્ની, તેની પુત્રીઓ, પુત્રવધૂઓ, ધાવમાતાઓ, દાસીઓ કે નોકરાણીઓ, પરસ્પર મળીને આ પ્રમાણે વાર્તાલાપ કરે છે કે આ શ્રમણ છે, તે શીલવાન, ગુણવાન થાવતું મૈથુન ધર્મથી સર્વથા નિવૃત્ત હોય છે, તેઓને મૈથુન સેવન કલ્પનીય નથી, તેની અભિલાષા કરવી પણ કલ્પનીય નથી, પરંતુ જો કોઈ સ્ત્રી તેની સાથે મૈથુન ક્રીડા કરે, તો તેને ઓજસ્વી-વિશાળ સુદઢ શરીર- વાળો, તેજસ્વી-શૂરવીર, વર્ચસ્વી-પ્રભાવશાળી, યશસ્વી, રૂપવાન અને સંગ્રામમાં શૂરવીર તેમજ દર્શનીય તેવા પુત્રની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વાત સાંભળીને તેમાંથી પુત્ર પ્રાપ્તિની ઇચ્છુક કોઈ સ્ત્રી તે તપસ્વી સાધુને મૈથુન સેવન માટે આકર્ષિત કરે અને તેમાં પ્રવૃત્ત કરાવે છે. તેથી તીર્થકરોએ પહેલાથી જ સાધુને માટે આ પ્રકારની પ્રતિજ્ઞા યાવત ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહે નહિ, શયનાસન આદિ કરે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy