SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ परिपिहियं पेहाए, तेसिं पुव्वामेव उग्गहं अणणुण्णविय अपडिलेहिय अप्पमज्जिय जो अवंगुणेज्ज वा पविसेज्ज वा णिक्खमेज्ज वा । तेसिं पुव्वामेव उग्गहं अणुण्णविय पडिलेहिय पमज्जिय तओ संजयामेव अवंगुणेज्ज वा पविसेज्ज वा णिक्खमेज्ज वा । ४० : શબ્દાર્થ :-જુવારવાદ = દ્વાર ભાગને ટનનોવિયાર્ = કાંટાના જાળાથી રિવિત્તિય = બંધ કરવામાં આવ્યો હોય હૈં = આજ્ઞા માગે મળવુળવિય = રજા લીધા વિના અપ્પમગ્ગિય = પ્રમાર્જન કર્યા વિના નો મવમુખે - તે દરવાજો ખોલે નહિ વિલેન્ગ = ખોલીને પ્રવેશ કરે નહિ પિવમેન્ગ = નીકળે નહિ. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘેર ભિક્ષા માટે જઈ રહ્યા હોય, ત્યારે ઘરનું આંગણું કે ફળીયું કાંટાની વાડથી બંધ કરેલું હોય, તો તે જોઈને તે ઘરના માલિકની આજ્ઞા લીધા વિના, તેનું પ્રતિલેખન કર્યા વિના અને(જીવજંતુ આદિ હોય, તો) રજોહરણાદિથી પ્રમાર્જન કર્યા વિના તેને ખોલે નહિ, પ્રવેશ કરે નહિ અને તેમાંથી બહાર નીકળે નહિ, પરંતુ પહેલાં માલિકની રજા લઈને પ્રતિલેખન કરે અને જીવજંતુ હોય, તો રજોહરણાદિથી પોંજીને તેને ખોલે, પછી તેમાં પ્રવેશ કરે અને ત્યાંથી નીકળે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાધુને ગૃહસ્થના બંધ દરવાજા ખોલીને ગોચરી જવાનો વિવેક દર્શાવ્યો છે. જે ઘરનો દરવાજો કાંટાની વાડ આદિથી બંધ હોય, તો આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના, ઉપરથી દીવાલ ઓળંગીને કે કાંટા દૂર કરીને પ્રવેશ કરવો સાધુ માટે યોગ્ય નથી, કારણ કે તેમ કરવાથી સાધુને અદત્તનો દોષ લાગે, ગૃહસ્થને સાધુ પ્રત્યે ઘૃણા કે દ્વેષ થાય, તે સાધુ ઉપર ચોરીનો આરોપ પણ મૂકે, ક્યારેક દરવાજા ખુલ્લા રહી જવાથી કોઈ વસ્તુ ચોરાઈ જાય કે કોઈ પશુ દ્વારા વસ્તુ ભાંગે-તૂટે તો સાધુ પ્રત્યે શંકા થાય છે. જો તે ઘરમાં જવું આવશ્યક હોય તો તે ઘરના સભ્યની રજા લઈને દરવાજાનું પ્રતિલેખન, પ્રમાર્જન કરીને યતનાપૂર્વક ખોલીને જાય. સંક્ષેપમાં સાધુના વ્યવહારથી શાસનની હીલના ન થાય, લોકોને સાધુ પ્રત્યે અભાવ ન થાય, તેમજ સાધુને સૂક્ષ્મ પણ અદત્તનું સેવન ન થાય તે રીતે વિવેકપૂર્વક ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. પૂર્વ પ્રવિષ્ટ શ્રમણ આદિની ઉપસ્થિતિમાં ભિક્ષા ગ્રહણની વિધિ: ६ से भिक्खू वा भिक्खुणी वा जाव समाणे से जं पुण जाणेज्जा- समणं वा माहणं वा गामपिंडोलगं वा अतिहिं वा पुव्वपविट्ठ पेहाए णो तेसिं संलोए संपडिदुवारे चिट्ठेज्जा । • केवली बूया - आयाणमेयं । पुरा पेहाए तस्सट्ठाए परो असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहट्टु दलएज्जा । अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा, एस हेउ, एस कारणं, एस उवएसो- जं णो तेसिं संलोए संपडिदुवारे चिट्ठेज्जा । Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy