SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ કષ્ટ આપે તેવા આસનની ધ્યાન સારુ જરા પણ આવશ્યક્તા નથી. ઊંકડું આસન બહુ જ સરળ અને સુસાધ્ય હોઈ એનું અહીં ઉત્કૃષ્ટ સ્થાન છે. એજ રીતે પદ્માસન, સુખાસન, ગોદોહિકાસન, વગેરે આસનો પણ જૈનદર્શનનાં વ્યાપક આસનો છે. એટલું જ નહિ બલકે એનું બાહ્ય તપશ્ચર્યામાં પણ સ્થાન છે. ૪૩૫ (ઉદ્દેશક ૪, ગાથા ૫) ભોજન એ સુધા નિવારવા અર્થે ઉપયોગી છે અને જીવન માટે પદાર્થ છે, પદાર્થ માટે જીવન નથી. આટલો જ સાધકને સતત ઉપયોગ હોય તે સ્વાદજય જરૂર કરી શકે. આ સૂત્રમાં શ્રમણ મહાવીરે સ્વાદ પર કેટલી પ્રબળ વિજય મેળવ્યો હતો એનું અનુભવપૂર્ણ પ્રમાણ છે. તેઓ આઠ આઠ માસ સુધી લૂખા ભાત, બોરના ભૂકાનો બનેલો બોરકૂટ તથા અડદના બાકળા પર જીવન નિર્વાહ કરી શકતા અને એ પણ ભૂખ લાગે ત્યારે જ. આ બીના એમની શરીરસ્થિતિની સહજતા અને નિર્મોહતાને પણ સ્પષ્ટ કરે છે. ઐતિહાસિક દષ્ટિએ અવલોકતાં તે કાળે લોકોમાં ભાત, બોરકૂટ અને અડદના બાકળાનો રિવાજ બહુ પ્રમાણમાં પ્રચલિત લાગે છે. એથી એ સહજ પ્રાપ્ત થવો શક્ય હોઈ શ્રમણ મહાવીરને એ મળે અને એમાંથી પણ એ ક્ષુધાતુતિ મેળવી લે, એ એમને માટે તદ્દન સ્વાભાવિક છે. અહીં જીવનપોષક તત્ત્વનો પ્રશ્ન રહે ખરો. પણ એ યાદ રાખવું જોઈએ કે ઉપર દેખાતા રસાળ પદાર્થો સાથે જ જીવનપોષક તત્ત્વોનો સંબંધ નથી. ઘણા પદાર્થો ખાવામાં નીરસ લાગે છતાંયે એમાં જીવનપોષક તત્ત્વ સારા પ્રમાણમાં હોય. ઉપરની ત્રણે વસ્તુઓના સંબંધમાં પણ એવું જ છે. એ ત્રણેમાં રસમાધુર્ય ન દેખાય તોયે જીવનપોષક તત્ત્વ તો પૂરા પ્રમાણમાં છે જ અને રસના સંબંધમાં તો એવું છે કે જેને સાચા રસની પ્રતીતિ થઈ છે તે સૂકા દેખાતા પદાર્થમાંથી પણ રસ લઈ શકે છે અને એ નથી એને તો રસાળ પદાર્થ પણ નીરસ નીવડે છે. જીભમાં અમી સાથે મળેલો લૂખો આહાર પણ જે રસાનંદ જન્માવે છે અને અર્પે છે, તે રસ કૃત્રિમ સ્વાદ કે કૃત્રિમ રસથી તરબોળ કરેલાં ભોજન નથી જન્માવી કે અર્ષી શકતાં. આવો અનુભવ કોને નહિ હોય ? આ પ્રકારનો આહાર જ લેવો એ એમને આગ્રહ પણ નહોતો. જ્યાં આગ્રહ છે. ત્યાં સહજતાનો લોપ થાય છે. એટલે આઠ માસ સુધી અને તે પણ તેવા પ્રસંગને અનુસરીને જ આ પ્રયોગ તેમના જીવનમાં થયો હતો. બાકી તેમની સાધનાનો ઘણોખરો ભાગ તો કાયમી તપશ્ચર્યાનો છે. એમની તપશ્ચર્યા પણ સહજ તપશ્ચર્યા હતી. સહજ તપશ્ચર્યા એટલે જેનો પોતે ત્યાગ કર્યો છે એવા આહાર પ્રત્યે મન સુદ્ધાં ન જાય અને સ્વાધ્યાય કે ઘ્યાનમાં અડોલ એકતારતા રહે. આ પરથી ઉપવાસ, ઊણોદરી, સ્વાદત્યાગ, ઈત્યાદિ બાહ્ય તપશ્ચર્યાઓ જે છે એ આપ્યંતર તપશ્ચર્યાના સાધન છે અને એ સાધનો પણ એટલા માટે જરૂરી છે કે દેહની નિત્ય નૈમિત્તિક ક્રિયા જેટલી અલ્પ થાય તેટલી વૃત્તિનિરોધના પ્રયોગમાં અનુકૂળતા થાય. આ વાત સૌ કોઈ યાદ રાખે. (ઉદ્દેશક ૪, ગાથા ૧૨) અહીં ધ્યાનસ્થ સાધકને માટે આસનોની અગત્ય તથા ધ્યાનનો હેતુ ચિત્તસમાધિ જાળ વવાનો છે એમ સમજાવ્યું છે અને ચિત્તશુદ્ધવિના ચિત્તસમાધિ કે ધ્યાન સંભવતા નથી, એમ પણ દર્શાવ્યું છે અને ચિત્તશુદ્ધિ કેમ થાય એના આકાર તથા પ્રકારો અગાઉ જ બતાવ્યા છે એટલે આટલું વિચારીને પછી જ ધ્યાતા બનનાર સાધકે યોગ્ય માર્ગમાં પ્રવેશ કરવો સમુચિત થઈ પડશે. Jain Education International પદસ્ય, પિંડસ્થ, રૂપા અને રૂપાતીત પૈકીના અહીં ઉચ્ચ કોટિના ધ્યાનની બીના છે. જૈનદર્શનમાં આવા ધ્યાનને ધર્મધ્યાન કહે છે અને ત્યાંથી જ તે ધ્યાનનો પ્રારંભ માને છે. પણ એ ધ્યાન માનવતા, શ્રવણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy