SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧, ૪૩૧ | અકસ્માત અને રોગોની આફતથી કોઈ છૂટી શકતું નથી. એવો અનુભવ પણ કયાં નથી? પણ એ બધું જ્યારે સહન થાય છે ત્યારે એની સામે વૃત્તિ બળવો પોકારે છે. પ્રત્યક્ષ પ્રતિકાર કરવાની શક્તિ ન હોય તો બહારની ક્રિયામાં પ્રતિકાર ન દેખાય એવું ઘણીવાર બને ખરું પણ પ્રતિકારની ભાવના રહે જ અને એ પ્રતિકારની ભાવનાનો જે સંસ્કાર વૃત્તિ પર દઢ થઈ જાય તે જ સંસ્કાર જે સ્થાનમાં સહવાથી કર્મમુક્તિ થઈ જવી જોઈએ તે જ સ્થાનમાં કષ્ટ સહીને પણ કર્મબંધન વધુ કરે. અહીં જ જ્ઞાની અને અજ્ઞાનીનું તારતમ્ય સમજાય છે. જ્યારે માત્ર ક્રિયા પર લક્ષ્ય ન જતાં એ ક્રિયાના મૂળકારણ તરફ એટલે પોતા તરફ લક્ષ્ય જાય ત્યારે એ બહારની ક્રિયાઓ અસ્વાભાવિક નથી, એમ લાગે અને તે સહેતી વખતે પણ આ થવું જોઈતું હતું માટે જ થયું છે, એનું બરાબર ભાન રહે તો જ કર્મબંધનને બદલે કર્મથી છૂટી શકાય. આવી ભાવના થવી સત્યાર્થી સાધકને સુલભ હોઈ, એ ભાવનામાં સત્યાર્થી મહાવીર દેઢ રહેતા. પ્રસંગોચિત એ પણ કહેવું પ્રાપ્ત થાય છે કે ઘણા સાધકો કષ્ટ સહી શકે છે. કષ્ટ આપનાર પર દ્વેષ પણ નથી કરતા. તોયે એ કષ્ટ છે એવું તો તેમને ભાન હોય જ છે. યાદ રાખવું જોઈએ કે આવું ભાન પણ જ્યાં સુધી છે ત્યા સુધી એ સાધક શુદ્ધ છે એમ ન ગણાય. આજે એ પ્રતિકાર ભલે ન કરે પણ પ્રતિકારની વૃત્તિ જ્યાં સુધી પલટે નહિ ત્યાં સુધી એ સાધકમાં સાચો સમભાવ ન પ્રગટે. જગતમાં જે કંઈ સુંદર કે અસુંદર દેખાય છે કે બને છે તે કેવળ મારી દષ્ટિનો જ દોષ છે. સૌમાં હું જ જવાબદાર છું, આટલું નૈસર્ગિક વલણ જે સાધકનું હોય તે જ આવે પ્રસંગે સમભાવ જાળવી શકે. બાકી વત્તિમાં દષ્ટોનો પ્રતિકાર કરવો એ અયોગ્ય નથી. 'શર્ટ પ્રતિ સાથે સુયત એ પણ કર્તવ્યધર્મ છે. પણ હું તો એક ઉચ્ચ કોટિનો સાધક છું કે કહેવાઉં છું માટે મારાથી તેમ ન થાય એવી ભાવના પણ જ્યાં છે ત્યાંય કર્મબંધન તો છે જ. એટલું જ નહિ બલકે વૃત્તિમાં પ્રતિકારના સંસ્કારો દઢ કરવાનું પણ એ નિમિત્ત છે. માત્ર પોતાના ડહાપણથી તેમને હાલ તુરત શમાવી દેવાનો તેણે પ્રયાસ કર્યો છે, માટે એ બહાર દેખાતા નથી, એટલું જ કહી શકાય. આ સાધક સમભાવી ન કહેવાય અને તે સમભાવી રહી પણ ન શકે. અહીં આટલું યાદ રાખવું જરૂરી છે કે દુષ્ટતા વ્યક્તિમાં નથી હોતી વૃત્તિમાં હોય છે અને સામા પાત્રની દુષ્ટ વૃત્તિ તો એમાં માત્ર નિમિત્તરૂપ બને છે. તેનું મૂળ કારણ તો પોતાની વૃત્તિ જ છે. એટલે 'શટું પ્રતિ સાથે સુર્યા' એ સૂત્ર બહાર લાગુ નથી પડતું, પણ પોતાની વૃત્તિને લાગુ પડે છે. આટલું સમજનાર સાધક બહાર જે કંઈદેખાય છે તે અંદરનું છે એમ ધારી જો લડશે, તો તે કેવળ પોતાની વૃત્તિ સાથે જ લડશે, બહારનો પ્રતિકાર નહિ કરે; એટલું જ નહિ બલકે બહાર પ્રતિકાર કરવા જેવું એને જણાશે પણ નહિ. શ્રમણ મહાવીર ઉપરના ભાનમાં હતા એથી જ સમતા રહી. અન્યથા જો પ્રતિકાર કરવાનો તેમને સંકલ્પ માત્ર થાત તોયે તેમની પાસે યોગદ્વારા પ્રાપ્ત થયેલી અસાધારણ અને સહજ શક્તિઓથી પ્રતિકાર કરીને આ બધા પ્રસંગોનું નિવારણ કરી નાખત. પરંતુ કર્મના અચળ કાયદાનું એમને ભાન હતું એટલે એવો સંકલ્પ પણ કેમ સંભવે? આ દશા સ્થિતપ્રજ્ઞની સહજ સામ્યવસ્થાની દશા કહેવાય. આવા સાધકને હર્ષ પણ ન હોય અને શોક પણ નહોય; કારણ કે નિમિત્તજન્ય સંયોગોને અધીન થનારુંતત્ત્વ એમનામાંથી નીકળી ગયું હોય છે. એટલે સંયોગોને એમને અધીન થવું હોય તો ભલે થાય, પણ તે પોતે કદી સંયોગોને અધીન નહિ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy