SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વિસ્તૃતિકરણ થયું છે. સામાન્ય રીતે આ સૂત્ર ર૫૦૦ (પચ્ચીસ સો) શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. અહીં એ યાદ રાખવાનું છે કે સમવાયાંગ અને નંદીસૂત્રમાં આચારાંગની જે અઢાર હજાર પદ સંખ્યા કહી છે તે નિશીથ સહિત આચારાંગના ૨૮ અધ્યયનની અપેક્ષાએ છે. મહાપરિજ્ઞા અધ્યયનનું જે પઠન પાઠન બંધ થયું તેમાં કારણ એ છે કે આ અધ્યયનમાં અનેક ચમત્કારિક મંત્રાદિ વિદ્યાઓ હતી. બ્રહ્મચર્યાદિ, શીલરક્ષાદિના માટે ક્યારેક ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ સમય જતાં ગંભીર પાત્રનો અભાવ થતો ગયો જેથી આ અધ્યયનની વાચના બંધ કરવામાં આવી. આચારાંગસૂત્રના નામ :૧. યાર- આચરણનું પ્રતિપાદન કરનાર છે તેથી તે આચાર કહેવાય છે. ૨. વાત- સઘન બંધનને આચાલિત-ચલાયમાન કરે છે તેથી આચાલ કહેવાય છે. ૩. મા+II- સમધરાતળમાં ચેતનાને અવસ્થિત કરે છે તેથી આગાલ કહેવાય છે. ૪. આ ર– આત્મિક શુદ્ધિના રત્નોને ઉત્પન્ન કરનાર છે તેથી આગર કહેવાય છે. ૫. માસી – સંત્રસ્ત ચેતનાને આશ્વાસન પ્રદાન કરવામાં સક્ષમ છે તેથી આશ્વાસ કહેવાય છે. ૬. માયરિલ- ઈતિ કર્તવ્યતાનું સ્વરૂપ જોઈ શકાય છે તેથી તે આદર્શ છે કહેવાય છે. ૭. સં– અંતસ્તલમાં અહિંસાદિ જે ભાવ છે તેને વ્યક્ત કરે છે તેથી તે અંગ છે કહેવાય છે. ૮. માફU– આગમમાં આચાર્ણ ધર્મનું નિરૂપણ કર્યું છે તેથી આ આશીર્ણ છે કહેવાય ૯. આ ના– એનાથી જ્ઞાનાદિ આચારોની ઉત્પત્તિ થાય છે તેથી તે 'આજાઈ છે કહેવાય છે. ૧૦. આનોઉં- બંધન મુક્તિનું આ સાધન છે તેથી આમોક્ષ કહેવાય છે. - 41 Je Education International Frivate & Pertena Use On www.jainerary
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy