SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયન છે. બીજા શ્રુતસ્કંધમાં સોળ અધ્યયન છે, આ રીતે કુલ ૨૫ અધ્યયન છે. આચારાંગ નિર્યુક્તિમાં જે અધ્યયનનો ક્રમ છે તે સમવાયાંગના અધ્યયનના ક્રમથી પૃથક છે. તુલનાત્મક દૃષ્ટિથી અધ્યયનનો ક્રમ આ પ્રમાણે છે. સમવાયાંગ - - જે આચારાંગ નિર્યુક્તિ સત્યપરિણા લોગવિજય સીઓસણિજ્જ સમ્મત્ત લોગસાર જે સત્યપરિણા લોકવિજય સીઓસણિજ્જ સમ્મત્ત આવતી $ છું ૪ $ $ k ધુત બં $ છે $ $ મહાપરિણા વિમોહાયણ વિમોમ્બ ૮. ઉવહાણસુય ઉપહાણસુય મહાપરિણા આચાર્ય ઉમાસ્વાતિએ પ્રશમરતિ પ્રકરણમાં સમવાયાંગના ક્રમનું જ અનુસરણ કર્યું છે. પાંચમા અધ્યયનના બે નામ મળે છે– લોકસાર અને આવતી. આચારાંગ વૃત્તિથી એ જણાય છે કે તેઓને બંને નામ માન્ય હતા. આચારાંગ નિર્યુક્તિમાં મહાપરિજ્ઞા અધ્યયનને સાતમું અધ્યયન માન્યું છે. ચૂર્ણિકાર તથા વૃત્તિકારે આચારાંગ નિર્યુક્તિના મતને માન્ય કરેલ છે પરંતુ ઠાણાંગ, સમવાયાંગ અને પ્રશમરતિ પ્રકરણમાં મહાપરિજ્ઞા અધ્યયનને સાતમું ન ગણતા નવમું અધ્યયન કહેલ છે. આવશ્યક નિર્યુક્તિ તથા પ્રભાવક ચરિત આદિ ગ્રંથોના આધારથી એ સ્પષ્ટ થાય છે કે વજસ્વામીએ મહાપરિજ્ઞા અધ્યયનથી જ આકાશગામિની વિદ્યા પ્રાપ્ત કરી હતી, તેથી સ્પષ્ટ થાય છે કે વજસ્વામીના સમય સુધી મહાપરિજ્ઞા અધ્યયન હતું પરંતુ આચારાંગ વૃત્તિકારના સમયમાં મહાપરિજ્ઞા અધ્યયન ન હતું. વિદ્વાનોનો મત છે કે ચૂર્ણિકારના સમયે મહાપરિજ્ઞા અધ્યયન અવશ્ય હતું પરંતુ તેને ભણવા– ભણાવવાનો ક્રમ બંધ કરી દીધો હશે. આચારાંગ નિર્યુક્તિમાં આઠમા અધ્યયનનું નામ "વિમોષ્ણ" છે. જ્યારે સમવાયાંગમાં તેનું નામ "વિમોહાયતન" છે. આચારાંગમાં ચાર જગ્યાએ - 39 Je Education International Frivate & Pertena Use On www.jainerary
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy