SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૮] શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ અન્ય મિત્રોએ કહ્યું કે તમે શબ્દ, રૂપ આદિ વિષયોનો ઉપભોગ કેમ કરતા નથી? ત્યારે ભગવાને કહ્યું કેઈન્દ્રિયો સોત છે. તેનાથી કર્મબંધન થાય છે. મારો આત્મા તો સ્વતંત્ર થવા તલસી રહ્યો છે તેથી હું આ વિષયોનો ઉપભોગ કરી શકતો નથી. આ સાંભળીને તેઓએ કહ્યું કે કુમાર તમે ઠંડુ પાણી કેમ પીતા નથી? સચિત્ત આહાર કેમ કરતા નથી? ભગવાને ઉત્તર આપ્યો કે– હિંસા સોત છે. તેનાથી બંધન થાય છે. મારો આત્મા બંધનથી મુક્ત થવા ઝંખી રહ્યો છે તેથી હું મારા સમાન જ અન્ય જીવોના પ્રાણ વિનાશ કરી શકતો નથી. તેઓએ કહ્યું- કુમાર તમે પ્રાયઃ ધ્યાનની મુદ્રામાં જ બેસો છો, તો મનોરંજન કેમ કરતા નથી? ભગવાને કહ્યું- મન, વચન અને કાયા આ ત્રણે ય સ્રોત છે. તેનાથી કર્મબંધન થાય છે. મારો આત્મા તેનાથી અલિપ્ત બની સ્વતંત્ર થવા ઈચ્છે છે તેથી હું મનોરંજન દ્વારા તેને ચંચળ બનાવવા ઈચ્છતો નથી. તેઓએ કહ્યું- કુમાર ! તમે સ્નાન કેમ કરતા નથી? ધરતી પર શા માટે સૂવો છો? ભગવાને કહ્યું– દેહાસક્તિ અને આરામ આ બંને સ્રોત છે. હું તો સ્રોતનો સંવર ઈચ્છું છું માટે મેં આ પ્રકારની ચર્યા સ્વીકારી સમિતિમય સાધના :१८ अहाकडं ण से सेवे, सव्वसो कम्मुणा य अदक्खू । जं किंचि पावगं भगवं, तं अकुव्वं वियर्ड भुंजित्था ॥ શબ્દાર્થ - મહા= આધાકર્મી આહારનું, ન સેવે નું સેવન કર્યું નહિ, તે = તેઓ, સવ્વતો = સર્વ પ્રકારે, — = કર્મોના બંધને, અલહૂ જોતા હતા, ન વિવિ-જે કાંઈ, પાવર = પાપનું કારણ હતું, તંત્ર તેનું, મજાવંત્ર ભગવાન મહાવીર, અસુષ્ય = સેવન કરતા ન હતા પરંતુ,વિયર્ડ મુનિસ્થા = પ્રાસુક આહારનું સેવન કરતા હતા. ભાવાર્થ :- ભગવાન મહાવીર સ્વામીએ આધાકર્મ દોષવાળા આહારને કર્મબંધનું કારણ જાણીને તેના ગ્રહણનો તેમજ સંકલ્પમાત્રનો ત્યાગ કરી દીધો હતો અને આહાર વિષયક અન્ય પણ સર્વ દોષોનું સેવન નહિ કરતાં નિર્દોષ તેમજ પ્રાસુક આહારનું સેવન કરતા હતા. | १९ णो सेवइ य परवत्थं, परपाए वि से ण भुंजित्था । परिवज्जियाण ओमाणं, गच्छइ संखडिं असरणाए ॥ શબ્દાર્થ :- સેવફ =સેવન કરતા હતા, પરંવત્થ = ગૃહસ્થના વસ્ત્ર, બીજાના વસ્ત્રને, પરવિ = બીજાના પાત્રમાં પણ, તે તેઓ, ઇ પુંજિત્થા =જમતા નહતા, પરવશ્વયાણ ત્યાગ કરીને, તેના = અપમાનોને, છ = જતા હતા, સંવલિંક આહારની જગ્યામાં, ગલા = દીન ભાવથી રહિત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy