SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ | વિમોક્ષ અધ્ય-૮, ૧ઃ ૮ _. [ ૩૩૩ ] તિતિક્ષા અર્થાતુ પરીષહો, ઉપસર્ગોને સહન કરવા, પરમં = પરમ–પ્રધાન ધર્મ છે, ક્વા = એવું જાણીને સાધુ યથાશક્તિ, વિનોદ = ત્રણેમાંથી કોઈ એક પંડિતમરણનો સ્વીકાર કરે, દિયે = હિતકારી. ભાવાર્થ :- મુનિ શબ્દાદિ સર્વ પ્રકારના વિષયોમાં અનાસક્ત રહે અને જીવનપર્યત તેનાથી નિવૃત્ત રહે, તિતિક્ષાને સર્વશ્રેષ્ઠ જાણીને તથા હિતકર સમજીને, ભક્ત પ્રત્યાખ્યાન, ઈગિનીમરણ, પાદપોપગમન રૂપ ત્રિવિધ વિમોક્ષમાંથી કોઈ એક વિમોક્ષનો આશ્રય લે, અવશ્ય સ્વીકાર કરે. – એમ ભગવાને કહ્યું છે. ! આઠમો ઉદ્દેશક સમાપ્ત આઠમું અધ્યયન સમાપ્ત છે વિવેચન : ઉપરોક્ત ગાથાઓમાં પાદપોપગમન અનશનનું નિરૂપણ કરેલ છે. પાદપોપગમન અનશનમાં સાધક પાદપ–વૃક્ષની જેમ નિશ્ચલ–નિષ્પદ રહે છે. તે જે સ્થાનમાં બેસે છે, સૂવે છે, તે સ્થાનમાં જ જીવન પર્યત સ્થિર રહે છે, બીજા સ્થાનમાં જતા નથી. આ ગાથાઓમાં પાદપોપગમન અનશનના સાત વિશિષ્ટ આચારનું કથન છે– (૧) નિશ્રેષ્ઠ શરીરને જોઈ આ વ્યક્તિ મૃત્યુ પામી છે તેમ જાણી કોઈ જનાવર તેના સર્વ ગાત્રનો ભંગ કરી નાંખે અર્થાત્ ખાઈ જાય તોપણ નિર્ધારિત જગ્યાએથી ચલાયમાન થાય નહિ (૨) શરીરનો સર્વથા ત્યાગ (૩) પરીષહો અને ઉપસર્ગોથી જરા પણ વિચલિત થવું નહિ, અનુકુળ-પ્રતિકુળને સમભાવથી સહેવા (૪) આલોકપરલોક સંબંધી કામભોગોમાં જરા પણ આસક્તિ રાખવી નહિ (૫) સાંસારિક વાસનાઓ અને લોલુપતાઓ રાખવી નહિ (૬) દેવો દ્વારા ભોગો માટે આમંત્રણ કરવામાં આવે તો પણ લલચાવું નહિ (૭) સર્વ પદાર્થો પ્રત્યે જીવનપર્યત અનાસક્ત થઈને રહેવુ. ભગવતીસૂત્રમાં પાદપોપગમના બે પ્રકાર કહ્યા છે– નિહરિમ અને અનિહરિમ. (૧) આ અનશન જો ગામ આદિ (વસ્તી)માં કરવામાં આવે તો તે નિહરિમ હોય છે કારણ કે તેમાં પ્રાણ ત્યાગ પછી શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે (૨) જો અનશન વસ્તીથી બહાર જંગલમાં કરવામાં આવે અને તેમાં અગ્નિસંસ્કાર કરવામાં આવતો ન હોય, તો તે અનિહરિમ કહેવાય છે. અયં વાયરે - આ પંડિતમરણ સર્વથી કઠિન છે, વિશાળ છે, મહાન છે, સર્વોત્કૃષ્ટ છે અર્થાત્ સર્વ પંડિતમરણમાં આ પ્રધાન-વિશેષ છે. નિરં ડિદિરા :- અહીં 'અચિર' શબ્દના વિવિધ અર્થ થાય છે. ટીકાકારે અચિર શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે– સ્થાન, તત્ત્વ દત્ત તપૂર્વવિધિના પ્રત્યુપ્રેક્ષ્ય તમિન प्रत्युप्रेक्षिते स्थंडिले विहरेत्, अत्रपादपोपगमन अधिकारात् विहरणं तद्विधि पालनमुक्तम् । આ વ્યાખ્યામાં ટીકાકારે 'અચિર સ્થાન' કહીને તેને જ ઈંડિલ ભૂમિ કહેતાં તેની પ્રતિલેખના કરી ત્યાં પાદપોપગમન અનશન ધારણ કરી તેમાં વિચરણ કરવાનું કથન કર્યું છે. હિંદી ભાષાંતર કર્તાએ ઈંડિલ શબ્દથી ઉચ્ચાર પ્રસવણ પરિષ્ઠાપન ભૂમિની પ્રતિલેખના કરવાનું કથન કર્યું છે. સંથારો ગ્રહણ કર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy