SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૪ ] શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ કારણે ભયંકર ઉપસર્ગ આવી પડે તો પણ ઉદ્વેગ રહિત રહેનાર, કૃત કૃત્ય તેમજ સંસાર સાગરના પારગામી બને છે. આ સમાધિમરણથી પોતાના જીવનને સાર્થક કરી ચરમ લક્ષ્ય મોક્ષને એક દિવસ પ્રાપ્ત કરી લે છે. ખરેખર સમભાવ અને વૈર્યપૂર્વક ઈગિનીમરણની સાધનાથી શરીરનો તો વિમોક્ષ થાય છે, તેની સાથે તે અનેક મુમુક્ષુઓ તેમજ વિમોક્ષ સાધકોને માટે પ્રેરણાદાયક પણ બની જાય છે. છિUU૦૬રે :- આ શબ્દના વૃત્તિકારે બે અર્થ કર્યા છે– (૧) રાગદ્વેષાત્મક વાતોને સર્વથા બંધ કરી દીધી છે. (૨) હું કેવી રીતે આ ઈગતમરણની પ્રતિજ્ઞાને નિભાવી શકીશ? આ પ્રકારની શંકા જેની ચાલી ગઈ છે, તેવા સંશય મુક્ત. આ શબ્દના બીજા પણ અર્થો છે, જેમ કે– સંસાર પ્રપંચથી કે ભવભ્રમણથી મુક્ત. વિકથાઓથી દૂર રહેનાર. માતાકે - આ શબ્દનો અર્થ વૃત્તિકારે અલગ અલગ નયોથી ચાર પ્રકારે કર્યો છે– ૧. જેણે જીવાદિ પદાર્થોને સર્વ રીતે જાણી લીધા છે, તે આતીતાર્થ. ૨. જેણે પદાર્થોને ગ્રહણ કરી લીધા છે, તે આદતાર્થ. ૩. જે અનાદિ અનંત સંસારમાં ગમનથી દૂર થઈ ગયા છે તે અનાતીતાર્થ. ૪. સંસારને જેણે આદત્ત-ગ્રહણ કર્યો નથી–અર્થાત્ જે હવે નિશ્ચયથી સંસાર સાગરના પારગામી થઈ ગયા છે, તે અણીદતાર્થ. અહીં સૂત્રમાં પ્રયુક્ત શબ્દનો મૌલિક અર્થ એ છે કે પદાર્થોના સાંગોપાંગ જ્ઞાતા કે પ્રયોજનસિદ્ધ પુરુષ. ૩માતે - 'અનાતીત' ના અનેક અર્થો થાય છે. (૧) પરીષહ ઉપસર્ગોથી પરાભવ ન પામનાર (૨) ઉગરહિત (૩) આશ્રવોથી રહિત (૪) પરિસ્થિતિઓથી અપ્રભાવિત (૫) સંસાર પારગામી વગેરે અક્ષિ વિસમાચાર:- આ શબ્દના બે અર્થ છે. (૧) આ જૈન શાસનમાં દઢ શ્રદ્ધાના કારણે, આગમપ્રત્યે આસ્થાના કારણે (૨) શરીર અને આત્માને પૃથફ કરવા માટે. ખેરવમyજum :- ભૈરવ શબ્દ ઈગતમરણનું વિશેષણ છે. તેનો અર્થ થાય છે કે કાયરો દ્વારા જેનો વિચાર કરવો પણ દુષ્કર છે તેવા ઘોર અનુષ્ઠાન. 'અનુચીર્ણ' શબ્દ આચરણ કરવાના અર્થમાં છે. ચૂર્ણિકારે અણુવિ પાઠ માનીને અર્થ કર્યો છે કે જે ભયને ઉત્પન્ન કરનારા પરીષહો અને ઉપસર્ગોથી તથા ડાંસ, મચ્છર, સિંહ, વાઘાદિથી તેમજ રાક્ષસ, પિશાચાદિથી ઉદ્વિગ્ન થતા નથી, તે ભૈરવોથી અનુદ્ધિગ્ન હોય છે. I અધ્યયન-૮/૬ સંપૂર્ણ II do આઠમું અધ્યયન : સાતમો ઉદેશક 000 અચેલક મુનિ :| १ जे भिक्खू अचेले परिवुसिए तस्स णं एवं भवइ- चाएमि अहं तणफासं अहियासित्तए, सीयफासं अहियासित्तए, तेउफासं अहियासित्तए, दंसमसगफासं अहियासित्तए, एगयरे अण्णयरे विरूवरूवे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy