SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૬ ] શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ વિવેચન : જાણ પરિવારવિતિજારઃ- પ્રતિજ્ઞા કરવાથી સાધકને અનેક લાભ થાય છે– સાધકના જીવનમાં આત્મબળ વધે છે, સ્વાલંબનની ભાવના પરિપક્વ બને છે, આત્મવિશ્વાસની માત્રામાં વૃદ્ધિ થાય છે, ગમે તેવા પરીષહ, ઉપસર્ગ, સંકટ તેમજ કષ્ટ આવે તો તેને હસતાં હસતાં સહેવાનો આનંદ માણે છે. આ પ્રતિજ્ઞાઓ ભક્તપરિજ્ઞા અનશનની તૈયારી માટે ઘણી જ ઉપયોગી અને સહાયક છે. આવા સાધક આગળ વધીને મૃત્યુને પણ સહર્ષ સ્વીકારી લે છે. તેનું તે મૃત્યુ પણ કાયરનું મૃત્યુ નથી પરંતુ પ્રતિજ્ઞા-વીરનું મૃત્યુ કહેવાય છે. આ મૃત્યુ તેને કર્મનો વિશેષ ક્ષય કરાવનાર બને છે અને અંતે સર્વથા કર્મ ક્ષય થતાં મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. બત્ત ભટ્ટ - આ ઉદ્દેશકમાં ભક્ત પ્રત્યાખ્યાન અનશનનું પ્રકરણ હોવા છતાં કેટલીક પ્રતોમાં આ પાઠ મળતો નથી. ટીકાકારે આ ઉદ્દેશકની વ્યાખ્યામાં પ્રારંભથી અંત સુધી અનેકવાર ભક્ત પ્રત્યાખ્યાનનું કથન કર્યું છે અને અભિધાન રાજેન્દ્ર કોષમાં પણ આ સંપૂર્ણ ઉદ્દેશકને ભક્ત પ્રત્યાખ્યાન શબ્દમાં રાખ્યો છે. અંતે વાત પરિયાણ શબ્દનો સંબંધ પણ ભક્ત પ્રત્યાખ્યાન અનશનથી જોડાયેલ છે માટે પ્રાચીન પ્રતોમાં ભક્ત પ્રત્યાખ્યાન સૂચક બે શબ્દો હશે પરંતુ લિપિ કાળમાં ક્યારેક છૂટી ગયા હશે, તેથી આ સંસ્કરણમાં યથાસ્થાન તેને સુધારીને પાઠ આપેલ છે. I અધ્યયન-૮/પ સંપૂર્ણ II CM આઠમું અધ્યયન : છઠ્ઠો ઉદ્દેશક 1000 એક વસ્ત્રના અભિગ્રહધારી શ્રમણ :| १ जे भिक्खू एगेण वत्थेण परिवुसिए पायबिइएण । तस्स णं णो एवं भवइ- बिइयं वत्थं जाइस्सामि । से अहेसणिज्जं वत्थं जाएज्जा, अहापरिग्गहियं वत्थं धारेज्जा जाव एवं खु वत्थ धारिस्स सामग्गियं । अह पुण एवं जाणेज्जा- उवाइक्कंते खलु हेमंते, गिम्हे पडिवण्णे, से अहापरिजुण्णं वत्थं परिट्ठवेज्जा, अदुवा एगसाडे, अदुवा अचेले, लाघवियं आगममाणे जाव सम्मत्तमेव समभिजाणिज्जा । ભાવાર્થ :- જે ભિક્ષુએ એક વસ્ત્ર અને બીજા પાત્રો રાખવાની પ્રતિજ્ઞા કરી છે તેના મનમાં એવો વિચાર આવતો નથી કે હું બીજા વસ્ત્રની યાચના કરીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy