SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ वायं चयणं :– ઉપપાત અને ચ્યવન, આ બંને શબ્દો જન્મ મરણના સૂચક છે. સામાન્ય રીતે આ શબ્દોનો પ્રયોગ દેવોના જન્મ–મરણ માટે થાય છે. દિવ્ય શરીરધારી દેવતાઓનું શરીર પણ જો જન્મ મરણના કારણે નાશવંત છે તો પછી મનુષ્યોના લોહી, માંસ, મજ્જાદિ અશુચિ પદાર્થોથી બનેલા શરીરની તો શું વાત કરવી ? આ દષ્ટિએ વિચાર કરતાં આ પદોથી શરીરની ક્ષણભંગુરતાને બતાવી છે. આ રીતે શરીરની ક્ષણભંગુરતાનું ચિંતન કરી આહારાદિ પ્રત્યે અનાસક્તિ રાખે. ૨૯૦ સંયમ નિપુણની ગુણવત્તા ઃ २ आहारोवचया देहा, परीसहपभंगुरा । पासहेगे सव्विदिएहिं परिगिलायमाणेहिं । ओए दयं दयइ । जे संणिहाणसत्थस्स खेयण्णे, से भिक्खू कालण्णे बलण्णे मायण्णे खणण्णे विणयण्णे समयण्णे परिग्गहं अममायमाणे कालेणुट्ठाई अपडणे दुहओ छेत्ता णियाइ । શબ્દાર્થ :- આહારોવપયા = આહારથી વૃદ્ધિને પ્રાપ્ત થાય છે, વેહા = શરીર, પરીસદપપુરા = પરીષહથી નાશ પામે છે, સ—િવિજ્જિ - સર્વ ઈન્દ્રિયોથી, સર્વ અંગોપાંગથી, પિિભજ્ઞાયમાળેહિં = ગ્લાનિ પામે છે, વયં = દયા જ, સંયમ, વવજ્ઞ = પાલન કરે છે, સંહિાળતત્વજ્ઞ = કર્મરૂપ સંનિધાનનું શસ્ત્ર સંયમ, કર્મોના સ્વરૂપને બતાવનાર શાસ્ત્રના જ્ઞાનમાં, મહિન્ગે = પ્રતિજ્ઞા રહિત અર્થાત્ કોઈ પણ જાતના નિયાણા રહિત, દુહો = બાહ્ય, આત્યંતર બંને પ્રકારના બંધનોને, રાગદ્વેષને, છેત્તા = છેદન કરીને, પિયાર્ = સંયમ માર્ગમાં ગમન કરે છે, નિશ્ચિતરૂપથી સંયમ અનુષ્ઠાનમાં વિચરણ કરે છે. ભાવાર્થ :- આહારથી શરી૨ વૃદ્ધિ પામે છે, પરીષહોના પ્રહારથી ક્ષીણ થાય છે. હે શિષ્ય ! તમે જુઓ કે આહારના અભાવમાં ભૂખથી પીડિત થવાના કારણે કોઈ સાધકની સર્વ ઈન્દ્રિયો અને સર્વ અંગોપાંગ શિથિલ થઈ જાય છે, ગ્લાન થઈ જાય છે. તોપણ દયાવાન રાગદ્વેષથી રહિત ભિક્ષુ દરેક પરિસ્થિતિમાં દયા—સંયમનું પાલન કરે છે. જે ભિક્ષુ કર્મરૂપ સંનિધાનના શસ્ત્ર-સંયમને સારી રીતે સમજે છે, તે નિપુણ ભિક્ષુ કાલજ્ઞ, બલજ્ઞ, માત્રજ્ઞ, ક્ષણજ્ઞ (અવસરજ્ઞ), વિનયજ્ઞ-આચારના મર્મજ્ઞ, સમયજ્ઞ—સિદ્ધાંતના જ્ઞાતા હોય છે. તે ભિક્ષુ પરિગ્રહ પ્રતિ અનાસક્ત બની, યથાસમય યથોચિત અનુષ્ઠાન કરી, મિથ્યા આગ્રહયુક્ત પ્રતિજ્ઞાથી રહિત બની, રાગદ્વેષ રૂપ બંધનોને છેદી, સંયમની સાધના દ્વારા મોક્ષ તરફ પ્રયાણ કરે છે. વિવેચન : સધ્ધિવિદ્ધિ પિિભતાયમાળેહિં :- આ સૂત્રમાં આહાર કરવાનું કારણ સ્પષ્ટ કર્યું છે કે આહાર કરવાથી શરીર પુષ્ટ થાય છે, પરંતુ સાધક સંયમના પાલન માટે અને પરીષહ આદિને સહન કરવાની Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy