SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ | ધૂત અધ્ય-૬, : ૫ | ૨૫૯ | विभए किट्टए वेयवी । __ से उट्ठिएसु वा अणुट्ठिएसु वा सुस्सूसमाणेसु पवेयए- संति विरई उवसमं णिव्वाणं सोयं अज्जवियं मद्दवियं लावियं अणइवत्तियं सव्वेसिं पाणाणं सव्वेसिं भूयाणं सव्वेसिं जीवाणं सव्वेसिं सत्ताणं, अणुवीइ भिक्खू धम्ममाइक्खेज्जा । શબ્દાર્થ – દયાને, તો પાસ = લોકની, જગતજીવોની, નાળા = જાણીને, સંસારી પ્રાણીઓ પર દયા કરીને, મારૂં ધર્મનું કથન,વિમ = ધર્મનું વિસ્તારથી કથન કરે તથા,ટ્ટિ = કીર્તન કરે, વેચવી = વેદજ્ઞ પુરુષ, તે = તે સાધુ, ફાસુ = ધર્મનું આચરણ કરવામાં ઉદ્યમવંત, અનુદ્દિપડુ = ધર્માચરણમાં અનુત્થિત, સુલૂસમાસુ = ધર્મને સાંભળવાની ઈચ્છા કરનાર પ્રાણીઓ માટે, પવેયર = ધર્મનો ઉપદેશ કરે, = શાંતિ,વિર = વિરતિ, ૩વસને = ઉપશમ, નિષ્પાપ = નિર્વાણ, સોયં = શૌચ, વિચારોની પવિત્રતા, અવયં = આર્જવ, સરળતા, નવયં = મૃદુતા, નમ્રતા, નાવિયું = લઘુતા અપાવત્તિ = અહિંસા, નિરતિચાર વ્રતપાલન, યથાયોગ્ય, મહુવા = વિચાર કરીને,fમજવું = સાધુ, થમ્સમાજના = ધર્મનું કથન કરે. ભાવાર્થ :- આગમજ્ઞ મુનિ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ સર્વ દિશાઓ અને વિદિશાઓમાં રહેલાં પ્રાણીઓ ઉપર દયા–અનુકંપાના ભાવપૂર્વક ધર્મનું આખ્યાન (ઉપદેશ) કરે. તેને સરળ કરી વિસ્તારથી સમજાવે તેમજ ધર્માચરણના સુંદર ફળનું પ્રતિપાદન કરે. તે મુનિ સદુજ્ઞાન સાંભળવાના ઈચ્છુક, સાંભળવા માટે ઉપસ્થિત, લાલાયિત વ્યક્તિઓને ધર્મોપદેશ આપે. પછી ભલે તે પૂર્વે ધર્માચરણ કરનાર હોય કે ન હોય.ધર્મોપદેશક મુનિ- ક્ષમા, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમ-અકષાય, નિર્વાણ-કર્મક્ષય, વિમુક્તિ, શૌચ-પવિત્રતા, આર્જવ-સરળતા, માર્દવ-કોમળતા, નમ્રતા, લાઘવતા, અપરિગ્રહ તેમજ અહિંસા, આ વિષયોનું પ્રતિપાદન કરે તથા સમસ્ત પ્રાણીઓ, સર્વ ભૂતો, સર્વ જીવોનું, સર્વ સત્વોનું હિત વિચારીને ધર્મનું કથન કરે. વિવેચન : આ સૂત્રમાં ધર્મોપદેષ્ટાને ઉપયોગી અનેક વિષયોનું સુચન છે, જેમ કે– ઉપદેશ શા માટે ? કેવી રીતે? અને કોને અપાય? તથા કયા વિષયો પર ઉપદેશ કરવો? ઈત્યાદિ. રયં તોસ :- મુનિ જગતના સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દયાભાવ, અનુકંપા ભાવની લાગણી સાથે ઉપદેશ આપે. મુનિ જીવનની ઉદારતા તેમજ વિરાટતાને બતાવતા અહીં મહત્ત્વપૂર્ણ વાત કહી છે કે મુનિ સર્વ જીવો પર દયા ભાવ રાખે. તે ઉપકારી હોય કે અપકારી, અમીર હોય કે અધર્મી આદિ કોઈ પણ જાતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy