SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ | લોકસાર અધ્ય-પ, ઉ: ૬ [ ૨૧૩ | इह आरामं परिण्णाय अल्लीणगुत्तो परिव्वए । णिट्ठियट्ठी वीरे आगमेणं सया परक्कमेज्जासि । त्ति बेमि । શબ્દાર્થ - વિMિ = સર્વજ્ઞની વાણીથી, આગમથી, પવયં = કોઈના પણ વચનોને, સિદ્ધાંતને, નાજ્ઞા = પરીક્ષા કરે, કસોટી કરીને સમજે, સહ સમ્મા = પોતાની બુદ્ધિથી અર્થાત્ જાતિસ્મરણ જ્ઞાનથી, પરંવારપ = તીર્થકરના ઉપદેશથી, અપક્ષ ના અંતિષ = બીજા પાસેથી, તેવા = સાંભળીને. fr= સર્વજ્ઞની આજ્ઞાનું પાક્કા ઉલ્લંઘન કરે નહિ, મેહાવી = મેધાવી, સુડિદિય = સારી રીતે વિચારીને, સq= સર્વપ્રકારથી, સવાર(સબ્બuT) = સામાન્ય અને વિશેષરૂપેથી, સર્વાત્મના, સમ્મમેવ = સમ્યક પ્રકારથી, સમગણિ = જાણીને, રૂદ = આ જિનશાસનમાં, સારામ = સંયમને, પરિણTય = જાણીને, સ્વીકાર કરીને, અલ્તાનપુત્તો = લીન અને આત્મગુપ્ત થઈને, રિધ્વ = સંયમ પાલન કરે, વિઠ્ઠી = મોક્ષાર્થી, વાર = વીર અર્થાત્ કર્મનાશમાં સમર્થ, માન = આગમ અનુસાર, તથા = હંમેશાં, પરવેનેઝાલિ = પરાક્રમ કરે. ભાવાર્થ :- સર્વજ્ઞ તીર્થકરોના વચનથી વિભિન્ન દાર્શનિકોના વાદનું પરીક્ષણ કરવું જોઈએ અથવા પૂર્વજન્મની સ્મૃતિથી, સહસા ઉત્પન્ન પતિ-પ્રતિભાદિ જ્ઞાનથી, તીર્થંકર પાસેથી પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરીને અથવા વ્યાખ્યાન સાંભળીને અથવા કોઈ અતિશય જ્ઞાની નિર્મળ શ્રુતજ્ઞાની આચાર્યાદિ પાસેથી સાંભળીને પ્રવાદના યથાર્થતત્ત્વને જાણી શકાય છે. મેધાવી તીર્થકરાદિના નિર્દેશ–આદેશનું અતિક્રમણ કરે નહિ. તેઓની આજ્ઞાનો સર્વપ્રકારે સંપૂર્ણરૂપે (હેય-શેય–ઉપાદેયરૂપમાં તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપમાં) વિચાર કરીને સારી રીતે સંયમનું પાલન કરે. આ જૈનશાસનમાં આત્મરમણતા રૂપ સંયમને પ્રાપ્ત કરીને આત્મલીન-મન,વચન, કાયાની ગુપ્તિથી ગુખ થઈને વિચરણ કરે. મોક્ષાર્થી વીર મુનિ આગમમાં બતાવેલા અર્થ કે આદેશ–નિર્દેશ અનુસાર જ હંમેશાં પરાક્રમ કરે અને પોતાની સર્વ પ્રવૃત્તિ આગમ અનુસાર જ કરે. વિવેચન : gવાTM yવાવું ગ m :- ભગવાન મહાવીરે પ્રત્યેક સાધકને ધર્મ અને દર્શનના ક્ષેત્રમાં સ્વતંત્ર ચિંતનનો અવકાશ આપ્યો છે.તેઓએ બીજાના પ્રવાદો(દર્શન)ની પરીક્ષા કરવાની છૂટ આપી છે. કહ્યું છે કે મુનિ પોતાના પ્રવાદ(દર્શન–સિદ્ધાંત) ને જાણીને બીજાના પ્રવાદોને જાણે તેમની સમીક્ષા કરે. સમીક્ષાના સમયે પૂરી મધ્યસ્થતા-નિષ્પક્ષતા તેમજ સમત્વભાવ રહેવો જોઈએ. સ્વ પર વાદનું નિષ્પક્ષતાથી પરીક્ષણ કરવાથી વીતરાગ દર્શનની મહત્તા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. કોઈ પણ પ્રકારના વિચાર સામે આવે ત્યારે તેની કસોટી વીતરાગ સિદ્ધાંતથી– આગમથી કરે પરંતુ વિચાર્યા વિના કે કસોટી કર્યા વિના કોઈ પણ પ્રવાદનું અને કોઈના વિચારોનું અનુસરણ કરે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy