SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ | શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ ૩વેદનીને = જોઈને, પયં સર = પ્રત્યેક જીવોના સુખ, વUMાપ = યશનો અભિલાષી, સંયમાભિલાષી, ગારમે- આરંભ કરે નહીં, = = કોઈ પ્રકારથી, સવનોદ = સર્વલોકમાં, ૫ પ્રમુદે = કેવળ મોક્ષના અભિમુખ રહીને, વિદિસપ્રફળ = સંયમ વિરોધી માર્ગને પાર કરીને, frqugવારી = ઉદાસીન ભાવે શુદ્ધ આચરણ કરનાર, મર= આસક્ત થાય નહીં, પચાસેક સ્ત્રીઓમાં, વસુN = સંયમધનવાન, સવ્વસમUાય પણ = સર્વ પદાર્થોનું જ્ઞાન ધરાવનારા, ખાખ = પોતાના આત્માથી, અ ન્ન ન કરવા યોગ્ય, નો અvસી = અન્વેષણ ન કરે, આચરણ ન કરે. ભાવાર્થ :- ખરેખર તે જ મુનિ સંવિગ્ન પથ–મોક્ષમાર્ગને સમજનાર છે, જે સંસારની સમસ્ત પ્રવૃત્તિઓને ઉપેક્ષાભાવથી, ત્યાજ્ય દષ્ટિથી જોઈને તેનાથી દૂર રહે છે. આ પ્રમાણે કર્મ અને તેના કારણોને સમ્યક પ્રકારે જાણીને સાધક સર્વથા પાપોનો ત્યાગ કરે. તે સાધક કોઈ જીવની હિંસા કરતા નથી, સંયમનું સમ્યક આચરણ કરે છે પરંતુ સંયમ વિપરીત પ્રવૃત્તિઓ કરવાની ધૃષ્ટતા કરતા નથી. પ્રત્યેક પ્રાણીના સુખની વિચારણા કરી સંયમના અભિલાષી મુનિ લોકમાં કોઈ પણ પ્રકારનો આરંભ કરે નહિ. મુનિ એકમાત્ર મોક્ષાભિમુખ થઈ, મુક્તિ માર્ગથી વિપરીત સમસ્ત માર્ગના પારગામી થઈ, વિરક્ત ભાવે સંયમમાં વિચરણ કરે તથા સ્ત્રીઓ પ્રત્યે અનાસક્ત રહે. આ રીતે ઉપરોક્ત સર્વ પ્રજ્ઞાઓથી યુક્ત સંયમધની મુનિ અંતઃકરણથી પણ પાપકર્મને અકરણીય માને છે અને તેનો વિચાર માત્ર પણ કરે નહિ. વિવેચન : વUTલી - વર્ણ શબ્દ અહીં સંયમના અર્થમાં વપરાયો છે. સામાન્યતયા વર્ણના બે અર્થ છે– યશ અને રૂપ. 'રૂપ' અપેક્ષાએ અર્થ થાય છે કે મુનિ સૌન્દર્ય વધારવાનો ઈચ્છુક બની કોઈપણ (લેપ, ઔષધિપ્રયોગાદિ) પ્રવૃત્તિ કરે નહિ. 'યશ' અપેક્ષાએ અર્થ થશે કે મુનિ યશ પ્રાપ્ત કરવા આરંભના કાર્ય ન કરે. વિશિષ્ટતયા 'વર્ણ' શબ્દ સંયમનો ધોતક છે. સંયમ ચાહક મુનિ ક્યારે ય કોઈ પ્રકારનો આરંભ સમારંભ કરે નહીં. Gોઇ - લોકના સમસ્ત જીવો પ્રત્યે અનારંભી રહે. કોઈની પણ હિંસા કરે નહીં. વસુ - વસુમાન, ધનવાનને કહે છે. મુનિને સંયમ જ ધન છે, માટે સંયમ ધનવાન' મુનિને વસુi કહેવાય છે. સાધવાચાર પાલનની મહત્તા :|७ सम्म ति पासह तं मोणं ति पासह, जं मोणं ति पासह तं सम्मति पासह । ण इमं सक्कं सिढिलेहिं अद्दिज्जमाणेहिं गुणासाएहिं वंकसमायारेहिं पमत्तेहिं गारमावसंतेहिं । मुणी मोणं समादाय धुणे कम्म सरीरगं । पतं लूहं सेवंति वीरा सम्मत्तदसिणो । एस ओहंतरे मुणी तिण्णे मुत्ते विरए Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy