SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૨ | શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ अपरिग्गहावंती । सोच्चावई मेहावी पंडियाणं णिसामिया । समियाए धम्मे आरिएहिं पवेइए । जहेत्थ मए संधी झोसिए एवमण्णत्थ संधी दुज्झोसए भवइ । तम्हा बेमि णो णिण्हवेज्ज वीरिय । શબ્દાર્થ :- અપરિણાવતી = અપરિગ્રહી, પણ વ= થોડા, ઘણા તે પરિગ્રહની અપેક્ષાએ જ ત્યાગી, પરિવહાવતી અપરિગ્રહી બને છે, વત્ર તીર્થકરોના વચનોને,fસામિયા = અવધારીને, સમિયા = સમ્યક્ઝકારે, સમભાવથી, આરિપહિં= આર્ય પુરુષોએ, પવે = કહ્યો છે, પહેલ્થ = જે રીતે આ ધર્મમાં, મ= મે, સંથી = ચારિત્રની સાધના, કર્મોની સંધી, ફોલિ = કરી છે, પર્વ = તે રીતે, અર્થી = અન્યધર્મમાં, કુટ્ટોમવડું = કર્મક્ષય કરવાનું કઠિન છે, તë = તેથી, નેમિ= કહું છું કે, વરિય શક્તિને, નો fuદવેના = છુપાવવી ન જોઈએ, ભાવાર્થ :- આ લોકમાં જે અપરિગ્રહી સાધક છે, તે લોકના કોઈ પણ પદાર્થોમાં મમતા નહિ રાખવાથી અને તેનો સંગ્રહ નહિ કરવાથી જ અપરિગ્રહી છે. મેધાવી સાધક તીર્થકરોની વાણીને આચાર્યાદિ વિદ્વાનો દ્વારા સાંભળીને તેના વચનો ઉપર ચિંતન મનન કરે. તીર્થકરોએ આ સમ્યક ધર્મ કહ્યો છે. ભગવાન મહાવીરે કહ્યું છે– જેવી રીતે મેં જ્ઞાન, દર્શન, ચારિત્ર આ ત્રણેયની સંધિરૂપ સાધના કરી છે. તેવી રીતે તે સાધના અન્ય માર્ગમાં દુરારાધ્ય છે માટે હું કહું છું કે મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી સાધક પોતાની શક્તિને ગોપવે નહિ પરંતુ સમર્થ બની સંયમમાં પરાક્રમ કરે. વિવેચન : આ સૂત્રમાં પરિગ્રહીના પ્રતિપક્ષમાં અપરિગ્રહી સાધકનો નિર્દેશ કરી તે સાધકોને પોતાના ગ્રહણ કરેલા સંયમ તપમાં શક્તિ નહીં છૂપાવવાનો સંદેશ આપી ક્ષમતાનુસાર નિરંતર પરાક્રમ કરવાની પ્રેરણા આપી છે. તાત્પર્ય એ છે કે સંયમ ગ્રહણ કર્યા પછી સાધક સ્વાધ્યાય તપ, ધ્યાન વગેરે વિવિધ પુરુષાર્થ, પરાક્રમ કરતા જ રહે, પરતું પ્રમાદી ન બને. સમિયા ધર્મે મરદં પા :- આ વાક્યના વૃત્તિકારે ચાર અર્થ કર્યા છે– (૧) આર્યોતીર્થકરોએ સમતામાં ધર્મ કહ્યો છે. (૨) દેશાર્ય, ભાષાર્ય, ચારિત્રાર્યાદિ આર્યોમાં સમતાસમભાવપૂર્વક–નિષ્પક્ષપાત ભાવથી ભગવાને ધર્મનું કથન કર્યું છે. (૩) સર્વ હેયોથી દૂર આર્યોએ શમિતા (કષાયાદિની ઉપશાંતિ)માં પ્રકર્ષરૂપથી ધર્મ કહ્યો છે. (૪) જેની ઈન્દ્રિયો અને મન ઉપશાંત હતાં તેને તીર્થકરોએ ધર્મ-પ્રવચન કહ્યું છે. તીર્થકર આર્ય-અનાર્ય સર્વને ઉપદેશ આપે છે તેથી તીર્થકરોએ સમ્યકુધર્મ કે સમતા ભાવયુક્ત ધર્મસ્વરૂપને બતાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy