SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ | લોક વિજય અધ્ય-૨, ૩ : ૬ બૌદ્ધિક કુશળતા દર્શાવી છે. વક્તા સમયને જાણનારા અને શ્રોતાના મનને સમજનારા હોવા જોઈએ. વક્તાએ શ્રોતાની યોગ્યતા, તેની વિચારધારા અને તેના સિદ્ધાંતને તથા સમયની ઉપયુક્તતાને સમજવી આવશ્યક છે. તે દ્રવ્યથી અવસર ઓળખે, ક્ષેત્રથી આ નગરમાં કયા ધર્મ-સંપ્રદાયનો પ્રભાવ છે તે જાણે, કાળથી પરિસ્થિતિ ઓળખે તથા ભાવથી શ્રોતાના વિચારો તેમજ માન્યતાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે. આ પ્રકારનું કુશળ નિરીક્ષણ કર્યા વિના જ જો વક્તા ધર્મકથા કરે તો ક્યારેક શ્રોતા પોતાના સંપ્રદાય અથવા માન્યતાઓનું અપમાન સમજી વક્તાને મારે તો ધર્મની વૃદ્ધિના બદલે ક્લેશ વધી જાય છે માટે આ પ્રકારની ઉપદેશ કુશળતા પ્રાપ્ત કર્યા વિના ઉપદેશ ન આપવો એ જ કલ્યાણકારી છે. યોગ્ય વિધિ વિના તેમજ કુશળતાના અભાવમાં કોઈપણ કાર્ય કરવું તે ઉચિત નથી. ટીકાકારે ચાર પ્રકારની ધર્મકથાઓનું કથન કર્યું છે–આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગની અને નિર્વેદની બહુશ્રુત વક્તા આ ચારે ય પ્રકારની કથા કરી શકે છે. અલ્પજ્ઞાની ફક્ત સંવેગની (મોક્ષની અભિલાષા જાગૃત કરે તેવી) તથા નિર્વેદની (વૈરાગ્ય પ્રધાન) કથા જ કરે, તે આક્ષેપણી (સ્વસિદ્ધાંત મંડન કરનારી) તથા વિક્ષેપણી પર સિદ્ધાંતનું નિરાકરણ કરનારી) કથા કરે નહિ. ડિમોયણ - અહીં કુશળ વક્તાનું વર્ણન કર્યું છે. તે કુશળ ધર્મકથાકાર વિષયાસક્ત મનુષ્યોને બોધ આપીને મુક્તિ માર્ગમાં આગળ વધારે છે. વાસ્તવમાં બંધનથી મુક્ત થવું એ આત્માના પુરુષાર્થથી જ સંભવે છે પરંતુ ધર્મકથાકાર તેમાં પ્રેરક બને છે, માટે તેને એક નયથી બંધ પ્રતિ મોચક' કહેવાય છે. પ્રજ્ઞા સંપન્ન પુરુષનો વિવેક :| ७ से सव्वओ सव्वपरिण्णाचारी ण लिप्पइ छणपएण वीरे । से मेहावी अणुग्घायणस्स खेयण्णे जे य बंधपमोक्खमण्णेसी । कुसले पुण णो बद्धे णो मुक्के । से जं च आरभे, जं च णारभे, अणारद्धं च णारभे । छण छणं परिण्णाय लोगसण्णं च सव्वसो । શબ્દાર્થ :- તે સબ્સ = તે પુરુષ સર્વકાળમાં સર્વ પ્રકારથી, સવ્વપuિgવારા = સર્વ પ્રકારની વિવેક બુદ્ધિથી આચરણ કરનાર, વિણ = લેપાતા નથી, છળપણ = હિંસાથી. પુથાયણસ = કર્મોનો નાશ કરવામાં, હેય = કુશળ છે, વંશપનોઉં = બંધનથી મુક્ત થવાના ઉપાયનું, અલી = શોધન કરે છે, પુખ = વળી, નો વઢે = કર્મોથી બંધાતા નથી, નો મુવવ = કોઈપણ રીતે સંયમનો ત્યાગ કરતા નથી, તે = તે કુશળ પુષ, નં આરએ = જે આચરણ કરવા યોગ્ય છે તેનું જ આચરણ કરે છે, ગરબે = જે આચરણ કરવા યોગ્ય નથી તેનું આચરણ કરતા નથી, અનારદં ર ગામે = અને જેનો શાસ્ત્રમાં નિષેધ છે તેનું ક્યારે ય આચરણ કરતા નથી. છાં છi = જે જે કાર્યોથી હિંસા થાય છે તેને, ર0 = જાણીને તેનો ત્યાગ કરવો જોઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy