SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ | લોક વિજય અધ્ય-૨, ૩: ૫. [ ૭૭ ] પરિગ્રહમાં, નાના = મૂચ્છિત નથતાં, તેણુકા = કાલાનુસાર અનુષ્ઠાન કરનાર, અડom = આસક્તિ ભાવોના સંકલ્પયુક્ત પ્રતિજ્ઞાથી રહિત, સુદ = રાગદ્વેષ બંનેથી કરાતી પ્રતિજ્ઞાને, છેત્તા = છેદન કરીને, છોડીને, યા = સંયમમાં પ્રગતિ કરે. ભાવાર્થ :- ભિક્ષા માટે ભ્રમણ કરનાર તે ભિક્ષુ કાલજ્ઞ, બલજ્ઞ, માત્રજ્ઞ, ક્ષેત્રજ્ઞ, ક્ષણશ, વિનયજ્ઞ, સમયજ્ઞ, ભાવશ (આ ગુણોથી યુક્ત) હોય; પરિગ્રહ ઉપર મમત્વ નહિ રાખતા તેનો સંગ્રહ નહિ કરતા, યોગ્ય સમયે ભિક્ષાવૃત્તિ કરે, તેમાં કોઈ પણ પ્રકારનો રોગયુક્ત કે આસક્તિયુક્ત સંકલ્પ કરે નહિ. એવો સાધક રાગ અને દ્વેષનો નાશ કરતાં સંયમમાં પ્રગતિ કરે છે. |४ वत्थं पडिग्गह कंबलं पायपुंछणं उग्गहं च कडासणं एतेसु चेव जाणेज्जा । लद्धे आहारे अणगारे माय जाणेज्जा । से जहेय भगवया पवेइयं । लाभोत्ति ण मज्जेज्जा, अलाभोत्ति ण सोएज्जा, बहु पि लधु ण णिहे । परिग्गहाओ अप्पाणं अवसक्केज्जा । अण्णहा णं पासए परिहरेज्जा । एस मग्गे आरिएहिं पवेइए, जहेत्थ कुसले णोवलिंपिज्जासि । त्ति बेमि । શબ્દાર્થ :-વā - વસ્ત્ર, હિજાઉં - પાત્રા, કન્ન = કામળી, જયપુંછi = પાદપ્રૉઇન, ૩૫ = અવગ્રહ, કારણ = કટાસણ અર્થાત્ સસ્તારક, પશુ વેવ = આ વિષયમાં પણ, નાળા = ઉપયોગ રાખે અર્થાતુ શુદ્ધ ગ્રહણ કરે. તદ્ધ આદરે = આહાર પ્રાપ્ત થવા છતાં, માથે ગાળ્યા =પરિમાણને જાણે, ગદા = જેમકે, ચંક આહારની માત્રાને, નામો ત્તિ = લાભ થવાથી, ન મmm = સાધુ ગર્વ કરે નહિ, અનામો ત્તિ = લાભ ન થાય તો, ન = શોક કરે નહિ, વ૬ પિ તદ્ધ = ઘણું બધુ પ્રાપ્ત થઈ જવા છતાં, ન દે= સંગ્રહ કરે નહિ, પરિવારો પરિગ્રહથી, અવતા = દૂર રાખે, અguહ = અન્ય દષ્ટિથી, ઉપેક્ષા દષ્ટિથી, પણ = જોતા સાધુ, પરિહા = પરિગ્રહનો ત્યાગ કરે, પણ મને = આ ન્યાય માર્ગ, આરિહં= આર્યપુરુષોએ, તીર્થકરોએ, પવફા = પ્રરૂપ્યો છે, પહેલ્થ = જેને સાંભળીને, સને= કુશળ તત્ત્વજ્ઞ પુરુષ, નવલિંપિાલિ= પરિગ્રહરૂપ સંસારમાં લેપાય નહિ. ભાવાર્થ :- તે સંયમી વસ્ત્ર, પાત્ર, કાંબળી, પાદપ્રીંછન (પગ લૂછવાનું વસ્ત્ર), અવગ્રહ–ઉપાશ્રય અને આસન-ચટાઈ આદિ (જે ગૃહસ્થના માટે બનાવ્યાં છે, તેની યાચના કરે. આ સર્વના વિષયમાં પણ નિર્દોષ ગ્રહણ કરવાનું ધ્યાન રાખે. આહાર પ્રાપ્ત થવા પર પણ અણગાર જિનાજ્ઞા અનુસાર તેની માત્રાનું ધ્યાન રાખે અને તેમાં પરિગ્રહ કે મમત્વ કરે નહિ. મનગમતા આહારાદિ મળી જાય, તો સાધક તેનો અહંકાર કરે નહિ અને ન મળે, તો ચિંતા કે શોક કરે નહિ. જો આહારાદિ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય તો તેનો સંગ્રહ કરે નહિ. પોતે પરિગ્રહથી દૂર રહે. જે રીતે ગૃહસ્થ પરિગ્રહને મમત્વ ભાવથી જુએ છે, તે રીતે સાધક જુએ નહિ પરંતુ વિરક્તિ ભાવથી જુએ અને પરિગ્રહનો ત્યાગ કરે. આ નિર્દોષ ભિક્ષાવૃત્તિનો, અનાસક્તિનો અને અપરિગ્રહનો માર્ગ તીર્થકરોએ પ્રતિપાદિત કર્યો છે. તેને સમજીને, સ્વીકારીને કુશળ પુરુષ પરિગ્રહમાં લેપાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy