SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૦ ] શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ આ સૂત્રમાં તત્ત્વજ્ઞ અને અતત્ત્વજ્ઞ, આ બે પ્રકૃત્તિઓનું ચિત્ર બતાવ્યું છે. તત્ત્વજ્ઞ કે પ્રબુદ્ધ પુરુષોને ઉપદેશની આવશ્યકતા નથી કારણ કે તે વિષય વાસનાના દુઃખદ ફળને સારી રીતે જાણે છે. તેનાથી તે નિવૃત્ત થઈ ગયા છે. તે પોતાની સાધનામાં હંમેશાં જાગૃત છે, તેથી પાપકર્મ બાંધતા નથી અને દુઃખના પ્રવાહમાં વહેતા નથી. જે વાસનાના દુઃખને જાણતા નથી તે અજ્ઞાની દુઃખોને ઉપશાંત કરવા વિષય ભોગોનું આસેવન કરે છે. ગરમીમાં રમતો બાળક પસીનાથી તરબતર થઈ ઘરમાં આવે અને વસ્ત્રોને ઉતારી નિર્વસ્ત્ર બની પસીનાને સૂકવવા તાપમાં ઊભો રહે છે. તે સમજે છે કે ભીના વસ્ત્રો જેમ તડકામાં સુકાઈ જાય છે તેમ મારો પસીનો સુકાય જશે પરંતુ પરિણામ તેનાથી વિપરીત આવે. પસીનો સુકાવાના બદલે વધુ વળે છે. અજ્ઞાની જીવની પણ આ જ સ્થિતિ છે. તે ભોગોથી દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે પરંતુ દુઃખ દૂર થવાને બદલે દુઃખ વધે છે. દુઃખનું મૂળ કારણ રાગદ્વેષ, આસક્તિ તેમજ મોહ છે. તેથી દુઃખોની તેમજ જન્મ મરણની પરંપરામાં અભિવૃદ્ધિ થાય છે. આ સમજીને સાધકે ભોગોથી હંમેશાં દૂર રહેવું જોઈએ. I અધ્યયન-ર/૩ સંપૂર્ણ I જ000 બીજું અધ્યયન : ચોથો ઉદ્દેશક છ00 રોગાક્રાંત વ્યક્તિની દશા :| १ तओ से एगया रोगसमुप्पाया समुप्पज्जति । जेहिं वा सद्धिं संवसइ ते वा णं एगया णियगा पुट्विं परिवयंति, सो वा ते णियगे पच्छा परिवए ज्जा । णालं ते तव ताणाए वा सरणाए वा, तुम पि तेसिं णालं ताणाए वा सरणाए वा । जाणित्तु दुक्खं पत्तेयं सायं । भोगामेव अणुसोयंति, इहमेगेसिं માવાઈ .. तिविहेण जा वि से तत्थ मत्ता भवइ अप्पा वा बहुगा वा । से तत्थ गढिए चिट्ठइ भोयणाए । तओ से एगया विप्परिसिटुं संभूयं महोवगरणं भवइ तं पि से एगया दायादा वा विभयंति अदत्तहारो वा से अवहरइ, रायाणो वा से विलुपति, णस्सइ वा से, विणस्सइ वा से, अगारदाहेण वा से डज्झइ । इति से परस्स अट्ठाए कूराई कम्माई बाले पकुव्वमाणे तेण दुक्खेण मूढे विप्परियासमुवेइ । શબ્દાર્થ – પરિવતિ, રવાન્ના = અવહેલના, નિંદા કરે છે, નાળિg = જાણીને, = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy