SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ | લોક વિજય અધ્ય-૨, ૩: ૧ अपरिहीणेहिं आयटुं सम्मं समणुवासेज्जासि ॥ त्ति बेमि । છે પદમો ૩ો સમો / શબ્દાર્થ :- નાળિg = જાણીને, પત્તયં પ્રત્યેક જીવોના, સાયં = સુખને, = પસાર ન થયેલ, સંહાપ = જોઈને, વિચારીને, હવે = અવસરને, નાગાદિ = જાણે, સમજે, પકિ = પંડિત આત્મતત્ત્વજ્ઞ. નાવ = જ્યાં સુધી, સોય = શ્રોત્રેન્દ્રિયની સાંભળવાની, પUT = જ્ઞાન શક્તિ, અપરિરીક ક્ષીણ થઈ નથી, આ પ્રમાણે, વિહવદં વિવિધ પ્રકારની, પUMાર્દિ= જ્ઞાન શક્તિઓ, પરિહીને હિં=જ્યાં સુધી ક્ષીણ થઈનથી ત્યાંસુધી, આયક્ષ પોતાના કલ્યાણ માટે, સમ્મસનપુવાલિસિ = સારી રીતે પ્રયત્ન કરવો જોઈએ. ભાવાર્થ :- પ્રત્યેક પ્રાણીઓના સુખ અને દુઃખ પોતપોતાનાં છે, આ જાણીને સાધક આત્મદષ્ટ બને. જ્યાં સુધી યૌવનાવસ્થા પસાર થઈ નથી ત્યાં સુધી તેનો વિચાર કરી પંડિત પુરુષ ક્ષણ-અવસરને જાણે અને સંયમ તથા આત્મકલ્યાણના અવસરનો સદુપયોગ કરી લે. જ્યાં સુધી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની જ્ઞાન શક્તિ ક્ષીણ થઈ નથી અને આ સર્વ વિવિધ પ્રકારની પ્રજ્ઞાશક્તિઓ નષ્ટ થઈ નથી ત્યાં સુધીમાં સાધકે આત્મહિતાર્થ સંયમ તપનું સભ્યપ્રકારે પાલન કરી લેવું જોઈએ. - તેમ ભગવાને કહ્યું છે. | પ્રથમ ઉદ્દેશક સમાપ્ત | વિવેચન : ગાયક :- આ પદનો અર્થ છે આત્માર્થ. જે સાધનાથી આત્માનું હિત થાય તેનું નામ આત્માર્થ છે. પ્રસ્તુત પ્રકરણમાં આત્માર્થી માટે આત્માનો વાસ્તવિક ખજાનો જ્ઞાન, દર્શન, ચારિત્ર બતાવેલ છે, કારણ કે આ રત્નત્રયની સમ્યગુ આરાધનાથી જ મોક્ષરૂપ સાધ્યની સિદ્ધિ થઈ શકે છે અને સાધકનું તે મૂળ લક્ષ્ય છે. આ અપેક્ષાએ રત્નત્રય જ આત્મા માટે હિતકર છે, કારણ કે તેની સાધનાથી જ આત્મા કર્મબંધથી સર્વથા મુક્ત થઈ શકે છે. તે સિવાય આયÉનું સંસ્કૃત રૂપ આવતાર્થ પણ થાય છે. જેની ક્યારેય સમાપ્તિ ન હોય તેવું સ્વરૂપ છે જેનું તે મોક્ષને 'આયત' કહે છે, તેથી મોક્ષ પ્રાપ્તિ માટે જે સાધના કરાય તેને આયતાર્થ કહે છે. આ અપેક્ષાએ પણ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયની સાધનાનો જ સ્વીકાર થાય સાર એ છે કે શરીરની સ્વસ્થતા હોય તેમજ ઈન્દ્રિયો શક્તિ સંપન્ન હોય ત્યાં સુધી સાધકે સંયમ સાધનામાં પ્રમાદ કરવો જોઈએ નહિ. વિષયવાસના, ધન તેમજ પરિજનોની આસક્તિનો ત્યાગ કરી આત્મસાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ. તેનાથી આત્મા લોક ઉપર વિજય પ્રાપ્ત કરી પૂર્ણ સુખશાંતિરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy