SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮. પ્રવચન પરાગ ધર્મસાધના કરો. તે બંને બંધન છે. જોઈએ તેટલો પુરુષાર્થ કરો તોપણ એક કદમ આગળ નહીં જઈ શકો. શરીરના બંધનથી છૂટવા માટે, અહમ્ અને મમત્વના બંધનથી છૂટવા માટે વાણીનો પ્રહાર જરૂરી છે પછી વાણીનો વ્યાપાર, વાણીનો વ્યવહાર કેવો જોઈએ ? – www.kobatirth.org વાણીનો વ્યવહાર સુંદર મકાન બનાવવું છે, પરંતુ જો તેનું ફાઉન્ડેશન મૂળમાં ઢીલું હશે તો તે મકાન પડી જશે. તો પ્રથમ આધાર મજબૂત બનાવવો જોઈએ. ધર્મતત્ત્વની પ્રાપ્તિમાં વિચારશુદ્ધિ એ ફાઉન્ડેશન છે. આધાર મજબૂત હશે તો ધર્મની ઇમારત મજબૂત અને ભવ્ય થશે. સાધુની વિશિષ્ટતા મનના ધરતીકંપથી ધર્મની દીવાલ પડી જાય છે. મનની – ચિત્તની અસ્થિરતા હશે તો ધર્મતત્ત્વ સ્થિર નહીં બને. - એટલા માટે વાણીનો વ્યવહાર કેવો હોવો જોઈએ ? સ્તોકમ્, અલ્પમ્ · આવશ્યકતાપૂર્વક ઉપયોગ અને નહીંતર મૌન ! મૌન એ સાધનાનો પ્રાણ છે Acharya Shri Kailassagarsuri Gyanmandir साध्नोति स्वपरहितानि कार्याणि ईति साधुः । સાધનામાં જાગ્રત છે તે સાધુ. સંપૂર્ણ નિષ્પરિગ્રહની ભૂમિકા – વિચારમાં, આચારમાં નિઃસ્પૃહી તે સાધુ. સાધુના ત્રણ ગુણ ૧. સહન કરે તે સાધુ. ૨. સહાય કરે તે સાધુ. 3. સહયોગ દે તે સાધુ. (મોક્ષ સાધનામાં) આવનારી પ્રતિકૂળતા સમતાપૂર્વક સહન કરે તે સાધુ. ગુણગ્રાહક દૃષ્ટિ દુઃખનો પ્રતિકાર ન કરે, તેનો સ્વીકાર કરે, તે જ્યાં પ્રતિકાર ત્યાં સંઘર્ષ. અને ત્યાં સંસારનો જન્મ. મૌનની ભૂમિકામાં સાધનાનું દ્વાર પ્રાપ્ત થયા પછી, અંતરપ્રવેશ સુલભ બને છે. પછી દુર્ગુણો તરફ દૃષ્ટિ નહીં જાય. પરંતુ જીવનમાં બીજાઓના ગુણ દેખાશે. દ્વારકા નગરીના કૃષ્ણની દૃષ્ટિ કેવી ગુણગ્રાહક હતી ? રસ્તા પર મરેલો કૂતરો પડ્યો હતો. તેનું શરીર ખૂબ ગંધાતું હતું. શરીરમાં For Private And Personal Use Only
SR No.008732
Book TitlePravachana Parag
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy