SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૨૯ યોગ્ય માર્ગદર્શન પણ મળવા માંડ્યું. જે ભીખ માગીને પણ નથી મળતું તે તેને મળી ગયું. મૃત્યુ... “સમાહિ મરણું :” આપણે રોજ પ્રભુ પાસે માગીએ છીએ એવું મરણ એને મળ્યું. અને એનો આત્મા આનંદવિભોર થઈ ઊઠ્યો. તેમનો અંતિમ દિવસ આવ્યો. તેના હોઠ કાળા પડી ગયા. જે મળતું તેને તે પીતો હતો. તેની કોઈ દૃષ્ટિ નહોતી. તેની સામે પાર્શ્વનાથ ભગવાનની તસવીર ટેબલ પર હતી. તેને જે મંત્ર અપાયો હતો તેને તે માળામાં ગણતો બેઠો હતો. જાપનું સ્મરણ કરી રહ્યો હતો. પ્રાત:કાળ થઈ ગયો. પરમાત્માનું ચિત્ર તેની સામે હતું. તે સન્મુખ બેસી ગયો. ધૂપ-દીપ કર્યો. આરતી ઉતારી ગાડી લઈ મંદિર ગયો. ફૂલની માળા ભગવાનને ચડાવી. તેની પાસે પત્ની ઊભી હતી પરંતુ તેની દૃષ્ટિ ભગવાન સિવાય ક્યાંય પણ નહોતી. તે એકાગ્રચિત્ત બની ગયો હતો. તેણે તેમાં અદભુત આનંદ પ્રાપ્ત કર્યો. તેણે માળા ચડાવી અને તેનો પ્રાણ ચાલ્યો ગયો... ચિત્તની શુદ્ધિ ક્યારે થાય છે ? આ કાળમાં સમાધિનો દુષ્કાળ નથી હોતો. આવશ્યકતા છે અલિપ્તતાની અને એના માટે અંતરની જાગૃતિની. ત્યાં અપૂર્વ જાગૃતિ હતી. તેનાં નેત્રો ખુલ્લાં જ રહી ગયાં. નેત્રમાંથી પ્રાણ ચાલ્યા ગયા. કેવું ઉત્તમ ! કેવી અપૂર્વ અંતિમ ક્ષણ ! પરમાત્માનાં ભાવથી કરેલ દર્શન આવું સુંદર મૃત્યુ આપે છે. મૃત્યુ દરેકને આવવાનું કે આપણે જાણીએ છીએ પણ તેને સુંદર કેમ બનાવવું તેનો લેશમાત્ર પણ કોઈ દિવસ વિચાર કર્યો છે? ભવોભવ આવું રૂડું મોત મળે. અન્તિમ નજર પ્રભુની અંતરમાં, અન્તિમ ધબકારામાં પ્રભુનો ધબકાર આવે એવો અભ્યાસ કરવો ઘટે, નિત્ય આચરાતી ઘર્મક્રિયાઓમાં. ડૉકટર કહેત – હોપલેસ કંડિશન ! તે સમયે આપને મહારાજની જરૂર પડે છે અને આપ સાધુ પાસે આવો છો. આપને હું આપી દઉં રક્ષણ? મળી શકે? પોતાને પગે જ ચાલવું પડે, ઉધાર પગે ન ચલાય. જુઓ અને ચાલો આપને જીવનમાં કદી પણ મંદિર જવાનો અને ગુરુ પાસે આવવાનો સમય ન મળ્યો અને અંતિમ સમય જ્યારે દયનીય અચેતન અવસ્થા આવી તે વખતે શું મળશે ? અગર આપને બોમ્બે જવું છે, તો સર્વ તૈયારી કરશો. ત્યાંથી આગળ જવું છે તો ફરી તૈયાર કરશો. પરંતુ હંમેશાં આપને જીવનથી મૃત્યુ સુધી જવાની પણ તૈયારી રાખવાની છે. જેની પાસે ધર્મની સામગ્રી તૈયાર હશે તે લોકો મોતથી ડરશે નહીં. પાપી અને કાયર વ્યક્તિઓ જ મોતના વિચારમાંથી ફફડતા હોય છે. અનિંદ્ય જીવન ૧. ગૃહસ્થ જીવનમાં કુળની જે પરંપરા હોય છે, તેને કલંક લાગે એવું નિંદ્ય For Private And Personal Use Only
SR No.008732
Book TitlePravachana Parag
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy