SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪. પ્રવચન પરાગ માધ્યમ હોય છે. સીમિત હોય છે. તેને છોડી દેવા જોઈએ. તેનો છુપાયેલો ગર્ભિત અર્થ લેવો જોઈએ. નહીં તો વિકૃતિ – ધૃણા થશે. એથી ગ્રાહકની રુચિ ચાલી જાય છે. તે ભટ્ટજીને તો ગાય ઓછી કિંમતમાં મળી ગઈ. પરંતુ તેનું પરિણામ કેવું આવ્યું? એક દિવસ બડા મુલ્લા મુંબઈ ગયા હતા. તેને કોઈએ કહ્યું હતું કે મુંબઈ એટલે ઠગોનું ઘર. આપને એવી રીતે ઠગશે કે જિંદગીભર યાદ રહેશે. પછી શું કરે? તેને સમજાવી દેવાયું કે કોઈ વસ્તુ સ્વયંને ખરીદવી હોય તો વેચનાર જે ભાવ કહે, તેના અરધા ભાવમાં વસ્તુ માગવી. મુલ્લાએ આ શબ્દને પકડી લીધો. શબ્દમાંથી શ્રદ્ધા નથી મળતી. એમાં છુપાયેલા રહસ્યમાં પરમાત્મા મળે છે. મુલ્લા છત્રી ખરીદવા પહેલી વાર માર્કેટમાં ગયા. ત્યાં તેણે છત્રીવાળાને પૂછ્યું - આ છત્રી કેટલામાં આપીશ? છત્રીવાળો : દસ રૂપિયામાં. મુલ્લા પાંચમાં આપીશ? છત્રીવાળો પરોપકારી હતો. તેનો નિયમ હતો કે રોજ થોડું ધર્મકાર્ય કરવું. કોઈ પણ ગરીબને એક છત્રી મફત આપવી. એ વ્યક્તિ જે કિંમતમાં ભાગે એ કિંમતમાં આપી દેવી. તે મફત માગે તોપણ આપી દેવી. પરોપકારથી પુણ્ય અને પુણ્યથી સમૃદ્ધિ મળે છે. સંસારમાં રહીને પણ પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે. એવાં બાઈબલ, ગીતા અને આગમમાં પણ દષ્ટાંત છે. માત્ર ટૂંકી દૃષ્ટિથી આ સમજાતું નથી. કોઈ વ્યક્તિ કહે કે હું આપને એકના ડબલ કરીને આપીશ. તો આપ તેનો તુરત સ્વીકાર કરી લો છો. શબ્દોનો આગ્રહ સંઘર્ષ જન્માવે છે. એકાંતનો આગ્રહ પણ સંઘર્ષ ઉત્પન્ન કરે છે. વેપાર યાને છત્રીવાળો કહે છે : “ભલા માણસ, પાંચમાં લઈ લ્યો છત્રી.” મુલ્લાને તો બરાબર સમજાવ્યો હતો. મુલ્લો વિચારે છે પાંચમાં છત્રી દેવા તૈયાર છે, અઢીમાં પણ આપવા તૈયાર હશે – દાળમાં કાંઈક કાળું છે! દુકાનદાર પરોપકારી હતો, એનું રોજનું કાર્ય હતું. તે કહે : “આપની પાસે અનુકૂળતા ન હોય તો હું અઢીમાં આપું.” મુલ્લા વિચારે છે. મારા મિત્રે કહ્યું છે તે સાચી વાત છે. પરંતુ દુકાનદાર સાચો હતો. સજ્જન હતો. એને તો એક છત્રી દઈ For Private And Personal Use Only
SR No.008732
Book TitlePravachana Parag
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy