SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુમહિમા તોડવાવાળાનું નામ પૂછવું હતું. વિદ્યાર્થીઓ જવાબ આપી ન શક્યા અને અધ્યાપક પણ નામ જાણતા નથી. મુખ્ય અધ્યાપક - કંઈ વાંધો નહિ, વિદ્યાર્થીઓ તો બાળક છે. રમતાં-રમતાં તૂટી ગયું હશે. એવી નાની વાતમાં આપ શા માટે નારાજ થઈ ગયા. હું શાળાની આકસ્મિક જોગવાઈમાંથી આપને પાંચ રૂપિયા આપી દઉ છું. તેમાંથી આપ નવું ધનુષ બનાવી લેજો. જેણે ધનુષ તોડ્યું હશે તેની પાસેથી અમે એ રકમ મેળવી લઈશું. નિરીક્ષક મુખ્ય અધ્યાપકના મુખ પર પાંચ રૂપિયાની નોટનો ઘા કરીને ખૂબ ગુસ્સે થઈ સીધા જિલ્લા શિક્ષણાધિકારીના કાર્યાલયમાં પહોંચ્યા તેમણે તેમને પૂરી ઘટના કહી સંભળાવી તે સર્વ વિગત ધ્યાનથી સાંભળીને તેમણે કહ્યું કે હું હમણાં જ એક પરિપત્ર દરેક શાળામાં મોકલી તપાસ કરાવું છું કે કઈ શાળામાં કેટલાં ધનુષ આ વર્ષમાં આપવામાં આવ્યાં છે. અને તેમાંથી સુરક્ષિત કેટલાં છે ? જે શાળામાં ધનુષ તૂટી ગયાં હશે તેટલાં તેને આપવામાં આવશે તમે નિશ્ચિત રહો. અધિકતર એક માસમાં આ વ્યવસ્થા થઈ જશે. નિરીક્ષક અતિશય નિરાશ થઈ ગયા તેમની માનસિક વ્યથાનો કોઈ પાર ન રહ્યો. આથી તે ત્યાંથી રાજકક્ષાના શિક્ષણ અધિકારી ના કાર્યાલયમાં પહોંચ્યા તેમની સંપૂર્ણ હકીકત સાંભળીને તે બોલ્યા જિલ્લા શિક્ષણાધિકારીની કાર્યક્ષમતા પર મને પૂરો વિશ્વાસ છે. તેમણે એક માસની જે મર્યાદા આપી છે તેમાં તે સમયસર કાર્ય અવશ્ય પૂરું કરશે. તમે નિશ્ચિત રહો. છતાં જો એક માસમાં એ કાર્ય પૂરું નહિ થાય તો ત્રણ માસ પછી તમે પુનઃ આવીને મને એ કામ યાદ કરાવજો. નિરીક્ષક હેરાન થઈ ગયા. અને સીધા શિક્ષણમંત્રીના મંત્રાલયમાં દોડી ગયા અને સર્વ હકીકત જણાવી તેમણે કહ્યું કે ભાઈ ! આખા રાજ્યની શાળાઓની વ્યવસ્થા કરવી સરળ વાત નથી પ્રતિવર્ષ શાળાઓમાં આવશ્યક વસ્તુઓ પહોંચાડવામાં આવે છે. તેમાં કેટલીક વસ્તુઓ પહોંચતાં પહેલાં તૂટી જાય છે. તેથી તમે કહો છો કે તે શિવધનુષ કદાચ રસ્તામાં જ તૂટી ગયું હોય સ્ટેશન પર મજૂરો કેવા બે જવાબદાર હોય છે તે તમે જાણો છો. તેઓ માલના બંડલોને કેવી રીતે ફેકે છે કે જાણે તે રૂની ગાંસડીઓ હોય ! હું આજે જ રેલ્વેમંત્રીને પત્ર લખીને ચેતવણી આપું છું કે માલના બંડલોને ગમેતેમ ફેંકવા માટે તે મજૂરોને કડક સૂચના આપે. આમ કરવાથી શિક્ષણખાતાને અને આમ-જનતાને બંનેને લાભ થશે. કોઈ પણ વ્યક્તિએ મોકલેલો પોતાનો માલ રેલવેમાં તમારા શિવધનુષની For Private And Personal Use Only
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy