SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગુરુમહિમા ૧ આ વૃદ્ધાને વચમાં થોડી નિંદ ઊઠતી વળી પાછી સમાધિ લાગી જતી. પ્રવચનમાં ગુરુદેવે શું કહ્યું તેનું તેને કંઈ ભાન ન હતું. પણ જરા આંખ ખુલતી ત્યાં શબ્દો કાને પડ્યા ગોયમ! મા—અને વળી ઝોલું જોર કરી જતું. તંદ્રાવસ્થામાં શ્રવણ થયેલા શબ્દો બદલાઈ જાય. તેથી તે વૃદ્ધા સમજતી કે, ગુરુદેવને કંઈ દર્દ જણાય છે તેથી પ્રવચનમાં ‘ઓય મા’ કરીને ચીસો પાડે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવાર તેણે ઘરે જઈને પોતાના પુત્રને સમજાવ્યો કે તું વેઘરાજ થઈને થોડું પરોપકારનું કામ કર, તો તારું ભલું થશે. વૈધ - પરોપકારના રૂપમાં મારે કોને ઔષધ આપવાનું છે, તમારા ધ્યાનમાં હોય તો કહો. - વૃદ્ધા આપણા ગામમાં ઉપાશ્રયમાં જે સાધુ શાસ્ત્રો પર પ્રવચન આપે છે તેમના પેટમાં દરદ છે. તે વચમાં વચમાં પીડાથી બોલે છે ઓય મા’ વૈદ્યરાજ ઉપાશ્રયમાં ગયા, સાધુજીની નાડી પરીક્ષા કરી, સાધુએ કહ્યું કે ‘“મને તો પેટમાં કંઈ દરદ નથી'' વૈઘરાજે કહ્યું કે ‘“મારી મા કહે છે કે તમે પ્રવચનમાં વચ્ચે દરદની પીડાથી ‘ઓય મા' કરીને બૂમો મારો છો. તેથી મને આપને માટે ઉપચાર કરવા મોકલ્યા છે.’’ ગુરુદેવ સર્વ હકીકત સમજી ગયા. તેમણે વૈઘરાજને સહસ્ય સમજાવ્યું કે, તમારી માતા પ્રવચનમાં નિદ્રાવસ્થામાં ગોયમ ! મા-ને બદલે ‘ઓય મા’ સાંભળી લે છે. તેમાંથી આ ભ્રમણા ઉત્પન્ન થઈ છે. પ્રવચન એ જીનવાણી છે તેનું શ્રવણ પ્રમાદરહિત કરવું જોઈએ. સમય ગોયમ મા પમાદ એ પૂરું વાક્ય શ્રવણ કરતાં નથી અને ગોયમ મા... સાંભળીને તેમને આ ભ્રમ થયો છે. માટે શ્રવણ અવધાન પૂર્વક કરવું. ૧૧. ગુરુમહિમા ગુરુ સેવકો ! નમસ્કાર મંત્રમાં પરમાત્મા સિદ્ધદેવ જે સર્વાંશે કર્મ રહિત છે છતાં પરમગુરુ તરીકે શ્રી અરિહંતને પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યા છે. જૈનધર્મ અનુસાર ગુરુ કે ભગવાન કોઈના પર નારાજ થતા નથી, કારણ કે તેઓ રાગદ્વેષથી રહિત છે. તેથી આપણે કંઈ સંકોચ કરવાનું કારણ નથી છતાં ગુરુ વિના જ્ઞાનપ્રાપ્તિની સંભાવના નથી માટે ગુરુમહાત્મ્યનો સ્વીકાર અત્યાવશ્યક છે. ગુરુ એ જ્ઞાનગંગા છે, તેનું ઝરણું નિરંતર વહ્યા કરે છે. સાધકોના For Private And Personal Use Only
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy