SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કર્તવ્ય www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવા યોગ્ય કાર્ય અથવા આપણે કંઈ કરવું જોઈએ તે કર્તવ્ય છે. ઘણા માણસો કહેતા હોય છે કે અમારે શું કરવું ? તે પ્રશ્નનો કોઈ એક ઉત્તર ના હોઈ શકે. પરિસ્થતિના આધાર પર કર્તવ્ય નિર્ભર છે. પરિસ્થિતિ સંયોગવશાત્ ભિન્ન ભિન્ન હોય છે તેમ કર્તવ્ય પણ ભિન્ન ભિન્ન હોય છે. ‘મન્તવ્યનું રાખવષે | (સામાન્ય વ્યક્તિએ) રાજપથ પર ચાલવું. विद्याहीनं गुरुं त्यजेत । त्यजेत्क्रोधमुखीं भार्यामु निः स्नेहात् बांधवोस्त्यजेत् ॥ Fr કોઈવાર તેમાં અપવાદ હોઈ શકે. જેમ અતિવર્ષાને કારણે રાજમાર્ગ પર જવું મુશ્કેલ થઈ જાય તો વિદ્વાન પણ કોઈવાર તે માર્ગનો ત્યાગ કરી અન્ય માર્ગ શોધી લે છે. ત્યાગ એક કર્તવ્ય છે પણ તે ક્યારે, કેમ અને કઈ વસ્તુનો કરવો તે અગત્યનું છે. ચાણક્યનીતિમાં કહ્યું છે કે - નેક્રર્મ दयाहीनम् દયારહિત ધર્મનો, વિદ્યા રહિત ગુરુનો, ક્રોધમુખી પત્નીનો અને પ્રેમરહિત બંધુઓનો ત્યાગ કરવો જરૂરી છે. ધર્મનું પાલન આવશ્યક છે પણ જે ધર્મમાં ક્રૂરતાનું નિરૂપણ હોય તેવા યજ્ઞો તથા દેવીઓને પ્રાણીઓનો ભોગ આપવામાં આવે તે ધર્મ નથી, તેનો શીઘ્રતાથી ત્યાગ કરવો, તે કર્તવ્ય છે. ગુરુજનોની સેવા કરવી કર્તવ્ય છે. જે ગુરુમાં ગુરુત્વ, સમભાવ કે જ્ઞાન ન હોય, જે આપણી જિજ્ઞાસાનું સમાધાન કરી ન શકે તેવા ગુરુનો ત્યાગ કરવો તે કર્તવ્ય છે. પત્નીનું પાલન કરવું તે કર્તવ્ય છે. જે પત્ની ક્રોધી હોય, દિનરાત જેનું મુખ દિવેલિયું કે ફૂલેલું રહેતું હોય, સાધારણ વાતમાં પણ ઝઘડા કરતી હોય તો તેનો ત્યાગ કરવો. For Private And Personal Use Only સગાં, સ્વજન, કુટુંબીઓને આપણા પ્રત્યે સ્નેહ ન હોય તો તેનો પણ ત્યાગ કરવો તેમ શાસ્ત્રકારોએ કહ્યું છે. आव नहीं आदर नहीं नहीं नयन में नेह । तुलसी तहां न जाइओ कंचन वरसे मेह ॥
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy