SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગરાંવની વૃદ્ધ સ્ત્રીઓ પણ શાંતાદેવીને સન્માનની નજરે જોતી. રોજ ચારેક કલાક શાંતાદેવી સત્સંગ કરે. આ સત્સંગમાં જંગરાંવની તત્ત્વજિજ્ઞાસુ એવી ચાલીસ-પચાસ સ્ત્રીઓ રોજ આવે. શાંતાદેવી આમાં જૈન ધર્મનાં પુસ્તકો વાંચે. અવકાશ મળે ગીતા અને રામાયણનાં પુસ્તકોનું પઠન કરે. બીજીબાજુ કાશીરામમાંથી પૂ. કૈલાસસાગરજી બનેલા સાધુપુરુષે માત્ર એક જ વર્ષમાં ‘લધુવૃત્તિનો અભ્યાસ કર્યો. એ પછી ‘સિધ્ધહેમ' વ્યાકરણ તૈયાર કર્યું. પૂ. કૈલાસસાગરજીએ સાણંદમાં અભ્યાસ શરૂ કયોં. સાણંદના સંધે એમને માટે જ્ઞાની પંડિતની વ્યવસ્થા કરી આપી. સોળ મહિના સુધી સાણંદમાં સતત અભ્યાસ કર્યો. ચોમાસું કરવા અન્યત્ર જાય તોપણ પાછા સાણંદ આવી જાય અને પોતાનો અભ્યાસ અવિરતપણે ચાલુ રાખે. આમ કુલ સાતેક વર્ષ જેટલો સમય એમણે સાણંદમાં અભ્યાસ કર્યો. અમદાવાદ, પેથાપુર, વિજાપુર, મહેસાણા અને સમૌ પણ એમની સ્વાધ્યાયભૂમિ બન્યાં. વળી પંડિત બહારગામથી આવ્યા હોય એટલે માત્ર થોડા સમય સિવાય સતત જ્ઞાનોપાસના જ ચાલુ રહેતી. એક વાર પૂ. કૈલાસસાગરજીએ પોતાના આ સમયની વાત કહેતાં પૂ. જ્ઞાનસાગરજીને કહ્યું હતું, “પંડિતજી પાસે ઓછામાં ઓછા પાંચ કલાક તો અભ્યાસ કરતો. શરૂઆતમાં તો ફક્ત બે વિગઈની છૂટ હતી, છતાં ક્યારેક દૂધ પણ છોડી દેતો. સાડાત્રણ-ચાર વાગે ચોવિહાર વાળતો. છઠ્ઠને પારણે છટ્ટ થાય તો કેવું સારું? હંમેશા ચૌદ ઉપકરણ વાપરતો. મારા ગુરુને પણ મને ભણાવવાની હોંશ હતી. કામકાજ કરવા ન દે. પોતે ગોચરી લઈ આવે. હું પણ પાણી લાવીને-ગાળીને ઘડામાં ભરી લઉ. ઊનું ટાઢું જેવું હોય તેવું બનેને ચાલતું. એકાસણું કરીને પંડિતજીનો પાઠ લેતો. રાત્રે આવૃત્તિ અને મનન કરતો.” આ સાંભળીને પૂ. જ્ઞાનસાગરજીએ પૂ. કૈલાસસાગરજીને પૂછયું, “આપ હમેશાં. કેટલી ગાથા કરી શકતા હતા?” ત્યારે પૂ. કૈલાસસાગરજીએ ઉત્તર આપ્યો, “જયારે ‘પ્રકરણ' વગેરે ગાથા કરતો હતો ત્યારે વિહારમાં એક કલાકમાં દસ ગાથા થતી. વધીને કોઈ કોઈ દિવસે એક દિવસમાં ચાલીસ-પચાસ ગાથા મોઢે થતી હતી. ‘લધુવૃત્તિ પછી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સિદ્ધહેમ” નામના વ્યાકરણના ગ્રંથનો અભ્યાસ કયોં. આ અંગે એક માર્મિક વિગત ૫. જ્ઞાનસાગરજીએ નોધેલી મળે છે. પૂ. જ્ઞાનસાગરજીએ પૂ. કૈલાસસાગરજી પાસેથી એમના જીવનની કેટલીક વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે કૈલાસસાગરજીની કેટલીક વાત એમના શબ્દોમાં જ્ઞાનસાગરજી આ પ્રમાણે નોંધે છે‘હું જયારે સિધ્ધહેમ વ્યાકરણ કરતો હતો ત્યારે પંડિત ગિરજાશંકર કહે કે - તેમાં તમને ४८ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy