SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કારણે જ કાશીરામે ત્રણ મહિનાને બદલે થોડો વધુ સમય રહેવાનો વિચાર કર્યો, જેથી સહુના દ્રવિત ચિત્તને શાંતિ મળે. પોણા ચાર મહિના જેટલો સમય વીતી ગયો. હવે કાશીરામ યોગ્ય તકની અને પળની રાહ જોવા લાગ્યા. એવો સુંદર મોકો પણ મળી ગયો. એક દિવસ કાશીરામનાં માતા રામરખીદેવી એમના પિયરમાં એમના ભાઇને ત્યાં લગ્નનિમિત્તે ગયાં હતાં. શાંતાદેવી એમના પિતા કાકુરામજી પાસે ગયા હતા, આથી ગૃહત્યાગનો ઘણો સુંદર મોકો મળી ગયો. બપોરે કાશીરામે પોતાની કપડાંની બેગ તૈયાર કરી અને જગરાવ સ્ટેશનની બાજુમાં આવેલી ઓળખીતાની દુકાનમાં મૂકી દીધી. અંધારું થયા પછી આવ્યા. દુકાનમાંથી બેગ લીધી અને રાત્રે ગાડીમાં બેસીને જગરાવથી નીકળી ગયા. સામાન્ય રીતે રાત્રિના બારેક વાગ્યા સુધી કાશીરામ ઉપાશ્રયમાં બેસતા હતા, આથી મધરાત સુધી તો કોઇને શંકા ન ગઇ, પણ પછી કાશીરામ ન આવ્યા તેથી રાકિશનદાસજી ઉપાશ્રયમાં પૂછવા ગયા. મહરાજશ્રીએ કહ્યું કે કાશીરામ તો આજે અહીં આવ્યો જ નથી. કોઇ મિત્રને ત્યાં ગયા હશે એમ માની રાત્રે વિશેષ તપાસ ન કરી. છેક સવાર સુધી નહિ આવતાં રામિકશનદાસજીએ ફરી બધે તપાસ ચાલુ કરી. મનમાં થયું કે નક્કી એ ગુજરાત ગયો હશે. કાશીરામ ફરી ગુજરાતમાં આવ્યા. ગુજરાતનો પ્રદેશ જોઇને સૂકી ધરતીને વર્ષાથી જેવો આનંદ થાય તેવો આનંદ કાશીરામના હૃદયમાં થયો. ક્યા પંજાબનું જગરાવ અને કયાં આ ગુજરાત? યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજીનું ગુજરાત વિશેનું કાવ્ય એમના મનમાં ગુંજવા લાગ્યું : હિન્દુ વર્ણો દયા કરે રે, જેનો સૌથી વિશેષ, મંદિરો સહુ ધર્મના રે, પૂર્ણ રસાળ પ્રદેશ, આ કાવ્યની એક પંક્તિ આવી “ચારિત્ર લાયક ભૂમિની રે, જગમાં ન જડે ન જોડ.” આ પંક્તિ બોલતાં, કાશીરામનું હૃદય ગદિત થઇ ગયું. ચારિત લેવા માટે પોતે તો પંજાબથી બીજી વાર અહીં આવી રહ્યા છે. ફરી એક વાર કાશીરામના જીવનમાં આનંદ અને ઉલ્લાસની ભરતી આવી. છેલ્લા કેટલાય સમયથી જેને માટે મથી રહ્યા હતા, ઝઝૂમી રહ્યા હતા, એ વિરલ ભાગ્યવાન ઘડી આવી પહોંચી. વિ. સં. ૧૯૯૪ના પોષ વદિ ૧૦ના શુભ દિવસે, ૧૯૩૮ની ૨૫મી જાન્યુઆરી ને મંગળવારે ૨૪ વર્ષની ભર યુવાન વયે સરળસ્વભાવી પૂ. આ. ૩૬ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy