SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લીધી. એમણે એ ટપાલ વિદ્યાવતીજીને આપી. ઉર્દૂમાં લખાયેલી આ ટપાલ વાંચવી મુશ્કેલ હતી, પરંતુ અક્ષરોના મરોડ જોતાં જ વિદ્યાવતીજીએ ઉમંગભેર પારખી આપ્યું, “ઓહ! આ તો મારા દિયર કાશીરામના અક્ષરો ! એમની જ ટપાલ લાગે છે!'' આખું ઘર એકાએક ખળભળી ઊઠયું. બધા એ ટપાલ જોવા લાગ્યા, પણ ઉર્દૂના જ્ઞાનને અભાવે વાંચે કઇ રીતે? તરત જ કમિટી ગેઇટની દુકાને માણસને મોકલ્યો અને બિરચંદજીને ઉતાવળે ઘેર બોલાવ્યા. એમણે આ પત્ર હાથમાં લીધો. હાથ સહેજ કંપવા લાગ્યા. આંખો ભીની થઇ. હૃદયના ધબકારા વધી ગયા. રામકિશનદાસજીની વૃધ્ધ માતા તો ચોધાર આંસુએ રડવા લાગી. શાંતાદેવીની આંખમાં સ્વસ્થ ઉત્સુકતા નજરે પડતી હતી. બિરચંદજીએ ધ્રૂજતા અવાજે પત્ર વાંચ્યો. એમાં પર્વાધિરાજ પર્યુષણ નિમિત્તે પૂ. આનંદસાગરજીએ પિતાની ક્ષમાપના માગી હતી. પિતાને ન ખમાવે ત્યાં સુધી એમની ક્ષમાપના અધૂરી ગણાય. પત્રમાં લખ્યું હતું કે ગુરુ પાસે મેં દીક્ષા લઇ લીધી છે. મને અહીં કશી તકલીફ કે મુશ્કેલી નથી, તેથી મારી ફિકર કરશો નહિ. ઘરના સર્વેને એમણે ખમાવ્યા હતા. છેલ્લા નવેક મહિનાથી જે ઘરમાં વિષાદની ઘેરી છાયા છવાઇ ગઇ હતી, ત્યાં આશાનો નવો પ્રકાશ પ્રગટયો. અજંપાભર્યા દિવસો અને બેચેનીભરી રાતમાં જીવતા આ ઘરમાં શાંતિની થોડીક ક્ષણો આવીને સ્થિર ધઇ ગઇ. આ પત્ર પરની પોસ્ટની છાપ જોઇ. પેથાપુરની છાપ હતી. થોડીવારમાં તો બધા જ સ્વજનો એકઠાં થઇ ગયાં. રામિકશનદાસજીને તત્કાળ ઘેર બોલાવવામાં આવ્યાં એમના હર્ષનો કોઇ પાર ન રહ્યો નહિ. ઓ! મારો પ્યારો કાશીરામ સુખરૂપ છે! પણ મનમાં વળી ઉદ્વેગ જાગ્યો કે એ સાધુ થયો શા માટે? સહુએ નક્કી કર્યું કે બનતી ઉતાવળે પેથાપુર પહોંચવું. ત્યાં જઇને સમજાવીને કાશીરામને પાછા લાવવા. એ જ રાત્રે રામકિશનદાસજી, સસરા કાકુરામજી અને એમના કાકા જયરામદાસજી ગુજરાતના પેથાપુરમાં આવવા નીકળ્યા. જયરામદાસજી જગરાંવમાં મ્યુનિસિપલ હેલ્થ ઇન્સ્પેક્ટર હતા. વળી આ ત્રણેએ જગરાવના કોંગ્રેસ પ્રમુખની અમદાવાદના કોંગ્રેસ પ્રમુખ પત્ની ભલામણચિઠ્ઠી લીધી હતી. કાશીરામને પાછા લાવવા માટે જરૂર પડે તો સ્થાનિક કોંગ્રેસી આગેવાનોનો સહકાર મળી શકે. ત્રણે મહાનુભાવો પહેલી જ વાર પંજાબની બહાર પગ મૂકતા હતા અને છેક ગુજરાતના પેથાપુરમાં પહોંચવાનું હતું. આખરે તેઓ અમદાવાદ આવ્યા. અમદાવાદથી જીપ ભાડે કરીને પેથાપુર ગયા. પેથાપુરમાં જઇને તપાસ કરી, તો ખબર મળી કે કાશીરામનું નામ આનંદસાગરજી છે અને લોકો પાસેથી મુનિ આનંદસાગરજીની જ્ઞાનપિપાસા અને ગુરુભક્તિની વાતો સાંભળી. ૨૯ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy