SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આચાર્યશ્રીએ કહ્યું “ હું ચોવીસે કલાક મૃત્યુનું સ્વાગત કરવા તૈયાર છું. મેં મારી જિંદગીમાં શકય પ્રયત્ને પાપને પ્રવેશવા ન દેવાની તકેદારી રાખી છે. મને મૃત્યુ આવે તો પણ કોઇ જાતનો અફસોસ નથી.” Acharya Shri Kailassagarsuri Gyanmandir આટલું કહીને એમણે શ્રાવકોને સાંત્વના આપતાં કહ્યું, “મેં બધું જોઇ લીધું છે. મને એવું લાગતું નથી. 17 આમ, મૃત્યુનો એમને લેશ પણ ભય નહોતો. કોઇ ડૉકટરને લઇને આવે તો કહેતા કે મારા પેટી બિસ્તરા તૈયાર જ રાખ્યા છે. એ ગમે ત્યારે બોલાવે, હું તૈયાર જ છું. તેઓ કહેતા “મુસાફર સૌ પ્રાણીઓ છે, દેહવસ્ત્રો છોડતા, એ અવર તનુના વાસી થઇને વેષ લેતા નવા નવા; જગ રડવું કોને, શોક કોનો, ક્ષણિકતા સહુ દેહની ! એ નિત્યચેતન તે મરે નહિ, કર્મથી દેહો વરે”. કયારેક દર્દ વધી જાય અને સાધુ તથા શ્રાવકો દવા લેવાનો આગ્રહ કરે ત્યારે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી પ્રસન્ન વદને કહેતા, “ચોયની પાંચમ થવાની નથી, તો પછી આટલી ચિંતા શા માટે ?" પ. પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરિજી પાલીમાં ચાતુર્માસ હતા ત્યારે કયારેક વાતવાતમાં નાના મુનિવરોને કહેતા કે પ્રાયઃ બીજું ચાતુર્માસ પણ સાથે કરવા ભાવના છે. નાના મુનિઓ કહેતા, “ત્રીજું ચાતુર્માસ સાથે નહિ ?” ત્યારે આશ્ચર્યથી મૌન રહેતા. .. પાલીમાં એમણે બે-ત્રણ વાર વાતવાતમાં એમ પણ કહ્યું, “ હવે મારા શરીરનો બહુ વિશ્વાસ નથી. આટલું બોલીને તેઓ અટકી જતા. આગળ કશું બોલતા નહીં. એમના શિષ્યોએ એમને વારંવાર પૂછયું કે, આપ આવું કેમ બોલો છો ? ત્યારે કહેતા કે “હવે શરીરનો બહુ સાથ નહીં રહે. મારે મારી તૈયારીમાં સમય આપવો છે. આરાધના કરવી છે. બહારની પ્રવૃત્તિ ઘટાડી નાખવી છે.”' અને હકીકતમાં એમણે બાહ્ય પ્રવૃત્તિઓ ઘટાડવા માંડી. દરેક બાબતમાંથી રસ ઓછો કરી દીધો. અગાઉ પૂ. આચાર્ય દુર્લભસાગરસૂરિજી સાથે મનદુ:ખ થયું હતું. એમને પણ ક્ષમાપનાનો પત્ર લખવાની વાત આગલી રાત્રે કરી હતી. જેની જેની સાથે સંબંધ હતો, એ બધાને ક્ષમાપનાના પત્રો લખવાની વાત કરી હતી. જાણે મૃત્યુના મહોત્સવનો મૃત્યુંજય મહામાનવે દુદુભિનાદન કર્યો હોય ! જાણે માયા સંકેલી લીધી હોય એવો સહુને અનુઘ્ધ થતો હતો. પૂ. આચાર્યશ્રીએ પાલીથી વિહાર કર્યો. રાણકપુરથી પૂજય પદ્મસાગરજીથી જુદા પડયા. પણ એ પછી પૂ. આચાર્યશ્રીના જે પત્રો પૂ. આ. પદ્મસાગરજી પર તેમાં સ્પષ્ટ નહિ પણ પ્રચન્તરૂપે વિદાયસંદેશ વાંચી શકાતો હતો. આવતા, ૧૫૧ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy