SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org “કાગડાઓ ભલે લીંબોડીઓ પાછળ લટ્ટુ બને... પરંતુ કેરી તો કેરી જ રહેવાની... એનું મહત્ત્વ થોડું જ ઘટવાનું છે? “હું તો પંડિતોનો પણ મહાડિત છું... મેં મોટા મોટા પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યો છે. અને સર્વત્ર વિજય પ્રાપ્ત કર્યો છે. સંસારમાં એવો કયો પંડિત છે જે મારી સાથે શાસ્ત્રાર્થ કરવા શક્તિમાન હોય? "लाटा दूरगताः प्रवादिनिवडाः मौनं श्रिताः मालवाः, मूकत्वं मागधागता गतमदा, गडर्जन्ति नो गूर्जराः । काश्मीराः प्रणताः पत्मायनपरा, जाता स्तित्मङ्गोद्भवाः, विश्वे चापि स नास्ति यो हि कुरुते, वादं मया साम्प्रतम् ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir “લાટ દેશના વાદીઓ હારના ભયથી ડરીને દૂર ચાલ્યા ગયા. માલવદેશના વાદીઓએ મૌન ધારણ કરી લીધું મગધ-દેશના વાદીઓએ બોલવાનું જ છોડી દીધું ઘમંડ છોડીને ગુજરાતના પંડિતોએ ગરજવાનું બંધ કરી દીધું. કાશ્મીર દેશના પંડિતો તો મારા પગમાં પડી ગયા. તેલંગ દેશના પંડિતો તો મારું નામ સાંભળીને જ ભાગી ગયા. વધારે શું કહું? આજે દુનિયામાં એવો કોઇ પંડિત નથી, જે શાસ્ત્રાર્થમાં મને મહાત કરી શકે. “આ સ્થિતિમાં આ બીજો સર્વજ્ઞ કયાંથી ટપકી પડયો? મને તો આ કોઇ જાદૂગર લાગે છે; જેણે દેવતાઓને પણ ભ્રમમાં નાંખીને પોતાની તરફ આકર્ષિત કરી લીધા છે!” ઇન્દ્રભૂતિના મનમાં આ પ્રકારની વિચારણા ચાલી રહી હતી એટલામાં પ્રભુ મહાવીરને વન્દન કરીને પાછા ફરતા એક દેવને ઇન્દ્રભૂતિએ પૂછયું: “કેમ ભાઇ! જોઇ આવ્યા તમારા એ કહેવાતા સર્વજ્ઞને? કેવું રૂપ છે એમનું? કેવો ચહેરો છે એમનો? કેવી બુદ્ધિ છે એમની? નવાઇની વાત છે કે દેવ થઇને પણ તમે એની ઇન્દ્રજાળને ભેદી શકયા નહિ? એની શબ્દજાળમાં ફસાઇને તમે ય એને ‘સર્વજ્ઞ' માની બેઠા? કંઇક તો કહો એમના વિષે!!” ત્યારે એ દેવે કહયું: ૪ For Private And Personal Use Only
SR No.008702
Book TitleAtam Pamyo Ajwalu
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ethics
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy