SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અપાપાપુરીના “મહાસેન' નામના ઉપવનમાં પ્રભુ મહાવીરદેવ માટે દેવોએ સમવસરણની રચના કરી હતી. ત્યાં જ ઈન્દ્રભૂતિ વગેરે દિગ્ગજ વિદ્વાનો અને પ્રભુ વચ્ચે જે સંવાદ થયો એનું જ વિસ્તૃત વિવરણ છે. આ ગણધરવાદ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજે આ પ્રસંગ ઉપર જે પ્રવચનો કર્યા હતા, એનું આ સંકલન છે. જૈન સાધુઓ અને જૈનાચાર્યોની ભાષા ખૂબ જ સંવત હોય છે. એટલે પ્રમાદવશ જો ક્યાંય પણ અસંયત શબ્દપ્રયોગ થઈ ગયો હોય તો એને મારી ત્રુટિ સમજજો: પ્રવચનકારની નહિ. – પરમાર્થાચાર્ય હિન્દી આવૃત્તિમાંથી) શંકાનો અંત શનિનો પ્રારંભ સંતોષી મનવાળાને માટે સદા સઘળી દિશાઓ સુખમયી છે. જેમ.. ચંપલ પહેરનારાને માટે કાંકરા અને કાંટા વગેરેના દુ:ખ ઝીલવા નથી પડતા. વાતાવરણ જો તમે તડકામાં બેઠા હો તો એની ગરમીથી શી રીતે બચી શકશો. જો તમે અગ્નિની પાસે બેઠા હશો તો એના તાપથી શી રીતે બચવાના છો? એજ રીતે જો ક્રોધ અને વૈમનસ્યના વાતાવરણમાં જ તમે જીવતા હશો તો એના તાપ અને બેચેનીથી શી રીતે બચી શકવાના હતા? પાણીના કિનારા પર અને વૃક્ષના છાંયડામાં બેઠેલો માણસ જેમ શીતળતા અને શાંતિનો અનુભવ કરે છે, તેમ મા અને વિરકિત (વૈરાગ્ય)ના વાતાવરલમાં ઉછરતો આદમી સદા શાંતિ અને પ્રસન્નતાનો જ અનુભવ કરે છે. આપણે માત્ર શારીરિક શક્તિ જ મેળવવી નથી. શક્તિની સાથે સાથે તેનું જ્ઞાન પણ જોઈએ છે કે શક્તિ તે જ સારી છે. જે સગુણ, શક્તિ, પવિત્રતા, બધાની ઉપર ઉપકાર કરવાની પ્રેરણા તથા પ્રાણી માત્ર પ્રત્યેના પ્રેમથી યુક્ત હોય છે. For Private And Personal Use Only
SR No.008702
Book TitleAtam Pamyo Ajwalu
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ethics
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy