SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩ ) ચિદાનંદજીકત એગપદોમાં સમાધિદશાનું વર્ણન આવે છે, તેમાં આ માને શુદ્ધોપયોગ અને મનના વિકલ્પસંક૯પનો નાશ થયો હેય એવા ઉલ્લેખો સમાધિસમયના મળી આવે છે. આ કાલમાં અપ્રમત્ત ગુણસ્થાનક સુધીની ઉપશમાદિ ભાવની સમાધિની અસ્તિતા છે, માટે ચેગના જિજ્ઞાસુઓએ સુગુરૂનું અવલંબન કરીને યોગવિદ્યાનો અભ્યાસ શરૂ કરો. ગવિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો એટલે તુર્ત ચગીની દશા પ્રાપ્ત થઈ શકતી નથી, પણ ગવિદ્યાની બાર વર્ષે પર્યત આરાધના કરવાથી રોગવિઘાને ખરે અનુભવ જાગ્રત થાય છે. ચોગસાધનામાં ધર્મ ધારણ કરવાની ઘણું જરૂર છે. રાયણનું વૃક્ષ જેમ લાંબાકાળે ફળ આપે છે, તેમ ગની આરાધનાનો ખરો અનુભવ તો બાર વર્ષ પશ્ચાતું મળે છે. ગની સાધનાનું ફળ અવશ્ય પ્રાપ્ત થવાનું અને તે ફળ આત્માની ઉચ્ચ દશા છે, એમ મનમાં વિચાર કરીને યોગસાધનમાં પ્રવેશ કરવો. જે મનુષ્યો અને ચમત્કારો બતાવવાને માટે અને પોતાની બાહ્યકામનાઓ પૂર્ણ કરવાને માટે, રોગની આરાધના કરે છે, તેઓ વેગમાર્ગની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ કરી શકતા નથી. યેગથી ચમત્કારો પ્રાપ્ત થાય છે, પણ યોગીએ બાહ્યકામનાનો ત્યાગ કરીને નિષ્કામ બુદ્ધિથી યોગની સાધના કરવી જોઈએ. મદારીની પેઠે યોગથી કોઈ સામાન્ય ચમત્કાર પ્રાપ્ત કરીને, લોકોમાં જે જ્યાં ત્યાં ખેલ કરી બતાવે છે, તે મનુષ્ય, યોગની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ કરી શકતો નથી. યોગીઓએ યોગવિદ્યાથી ચમત્કાર પ્રાપ્ત કરીને પણ યોગવિદ્યામાં આગળ પ્રવેશ કરવાને માટે, અજાણ્યા મનુષ્યની પેઠે ગંભીર મન રાખીને વર્તવું જોઈએ. યોગીએ, લોક પિતાને માને વા ન માને તેની ઇચ્છાનો ત્યાગ કરવો જોઈએ. ખરા યોગીઓ પોતાના સહવાસમાં રહેનારને પણ પોતાનામાં અમુક શક્તિ (ચમત્કાર) પ્રગટી છે, તેની ખબર પડવા દેતા નથી અને કદાપિ લોકોને પોતાના ચમત્કારની ખબર પડે છે અને કોઈ વખત અમુક શક્તિ શેરવવી પડે છે તો, પશ્ચાત્ જનસમૂહથી ઉપાધિ ન થાય એવી રીતે પ્રવૃત્તિ આચરે છે અને યોગશાસ્ત્રોમાં કહેલી શક્તિનું આરાધન કરે છે. ગસમાધિ સેવનારાઓ, યોગાભ્યાસી જનોને તેના અધિકાર પ્રમાણે કુંચીઓ બતાવે છે. પાત્રતા વિના કંઈ મળતું નથી–પાત્રવિના મળેલી વસ્તુ રહેતી નથી. દેખાદેખીથી યોગની સાધના કરનારાઓને ઘણું ખમવું પડે છે અને કોઈ વખત દુઃખના પાત્ર બનવું પડે છે, માટે યોગવિદ્યાના અનુભવીઓને ગુરૂ કરીને તેની આજ્ઞા પ્રમાણે યોગમાર્ગની ક્રિયાઓને સેવવી જોઈએ “દેખાદેખી સાથે જોગ, પડે પિંડ કે વાધે રોગ” આ કહેવતને લક્ષ્યમાં લઈ ગુરૂગામપૂર્વક યોગવિદ્યામાં પ્રવેશ કરે એવી ગાભ્યાસીઓને સૂચના આપવામાં For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy