SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૭) ઈન્દ્રિયોના દાસ છે, ઈન્દ્રિયોના ચાકરી ઉઠાવનારા છે અને તેઓ ઈન્દ્રિયોના વિષયોના ભિખારી છે. વિષયોની ભિક્ષાથી કદી શાંતિસુખ મળવાનું નથી. તેઓ સદા શાંતિને, ધારણ કરનારા થતા નથી અને તેઓને જ્ઞાનબળ હોતું નથી. કસ્તુરિયામૃગની પેઠે તે ભૂલા ભમનારા જાણવા. જ્ઞાનિ પુરૂની ઇન્દ્રિયોથી જેકે વિષયોનું ગ્રહણ થાય છે તો પણ તેઓ આત્મજ્ઞાની હોવાથી મન ઉપર સત્તા બજાવે છે, અર્થાતુ વિપયો ગ્રહણ કર્યા છતાં પણ જ્ઞાનિયોના મનમાં વિષચોપ્રતિ રાગ વા હૃપ પ્રાયઃ કંઈ પણ થતો નથી, તેથી તેઓ પ્રત્યાહારના સાધક યોગિયો ગણાય છે. અત્ર પ્રશ્ન થશે કે, જ્યારે જ્ઞાનિને વિષયો ઉપર રાગ ન હોય તો વિષયોનું ગ્રહણને શા માટે કરે ? ઉત્તરમાં સમજવાનું કે કેવલજ્ઞાનપૂર્વે ચોથા ગુણસ્થાનકમાં ઈદ્રિયો પોત પોતાના વિષયોને પ્રારબ્ધ કર્મના ચોગે ગ્રહણ કરે છે; તીર્થકર જેવા ત્રણ જ્ઞાનિ પણ ગૃહાવાસમાં પ્રારબ્ધ કર્મના યોગથી રસત્ય અને અસત્ય જાણે છે, છતાં વિષયોને ગ્રહણ કરે છે; પણ તે આત્મજ્ઞાની હોવાથી જે જે વિષયો ઇન્દ્રિયોથી ગ્રહણ કરે છે તેમાં રૂચિ વા અરૂચિ ધારણ કરતા નથી. તેથી તેઓ મનની ઉદાસીનતા જાળવી–અબંધ રહી ઉરચ કોટી ઉપર ચઢતા જાય છે અને જે જે કર્મો ઉદયમાં આવે છે તેને ભોગવીને નિર્ભરે છે; પણ નવાં કર્મ બાંધતા નથી. આથી તેમની દશામાં ઈન્દ્રિયોના વિષયો ભેગવતાં છતાં પણ તેઓ વડે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કરી શકાય છે. પણ જેઓએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના ઇન્દ્રિયોનો નિરોધ કરી પ્રત્યાહારતા કરવા માંડી છે, તેઓ ઉપરઉપરથી જાણે પ્રત્યાહાર કરે છે તેવું જણાય છે, પણ પાંચે ઈન્દ્રિચોના વિષયોની સુખવાસના મનમાં રહેલી હોવાથી, ઇન્દ્રિયોથી વિષયો નહિ ગ્રહણ કરતા છતાં પણ અન્તરની વાસનાથી બંધાય છે અને જ્ઞાનિયો પ્રારબ્ધયોગે ઈદ્રિયોના વિષયોને ગ્રહણ કરે છે તે પણ મનની સમાનતાના યોગે બંધાતા નથી. તેમ છતાં અજ્ઞાનદશામાં પણ પ્રત્યાહારનું અકામ નિર્જરારૂપ ફલ થાય છે.–આ વાત બાળ જીવો માટે નથી. ત્યારે પ્રશ્ન થશે કે, આત્મજ્ઞાન કરવાથી મનની સમતોલદશા થશે, ત્યારે ઇન્દ્રિયોને વશ કરવાની શી જરૂર ? આના ઉત્તરમાં કહેવું પડશે કે, આમા પોતાનું સ્વરૂપ જાણ્યા વિના મનને તાબેદાર મટવાનો નથી. જો શુદ્ધ આત્મજ્ઞાન થયું તે મનમાં પ્રગટતા શુભાશુભ વિચારોને તે રોકવા પોતાની શક્તિ શેરવશે. આત્મજ્ઞાન પામીને પણ ઈન્દ્રિયોને વશમાં કરવાની આવશ્યકતા છે; કારણ કે વિષયોને જીતવામાં જ જ્ઞાનની સફલતા છે. આત્મા પિતાનું જ્ઞાન કરીને મનને પોતાના કબજામાં લે છે. મન વશમાં આવ્યાથી ઇનિદ્રયો પણ વિષયમાટે પ્રવૃત્તિ કરતી નથી; અર્થાત સારાંશ કે આત્મજ્ઞાન થવાથી, મનની સમતોલદશા રહે છે. કોઈ પદાર્થ સુખનો હેતુ જણાત નથી અને કોઈ પદાર્થ દુઃખનો હેતુ જણાતો નથી. તેથી સુખબુદ્ધિ ટળવાથી બાહ્યપદાર્થોને દેખતાં છતાં પણ રાગ થતો નથી અને મનમાં થતી યો. ૧૮ For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy