SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir '૭૦૦ અર્થ–આ આત્માનું ક્ષણિકપણું નથી સિદ્ધ થઈ શકતું, કારણ કે ક્ષણ પછી તેને વિનાશ થાય છે. તેથી ઉત્તર ક્ષણની સાથે તેને વેગ નથી થતું, અન્ય પૂર્વ ક્ષણના અભાવથી ઉત્તર ક્ષણ બનવાને સંભવ કેવી રીતે થાય? તેથી એક બીજાને અન્વયને અભાવ થાય છે. ૪૬૮ વિવેચન–જગતના પદાર્થો એક ક્ષણ માત્ર કાલ રહેનાર છે તેમ બૌધ્ધ કહે છે, પણ આ આત્માને તે તેવું ક્ષણિકપણું ઘટતું નથી. કારણ કે સ્વરૂપના લાભ થવાના સમય પછી એટલે ઉત્પન્ન થયે તે સમય પછીના ઉપલા સમયમાં સર્વથા વિનાશ પામે છે, તેથી અન્ય તેની પછી તરત ઉપજનારની સાથે અન્વય સંબંધ રહેતો નથી. જેમ વધ્યા સ્ત્રીને પુત્ર અસિધ્ધ છે તેમ આત્માદિ દ્રવ્ય ક્ષણક્ષયી માનીએ તે અન્વય સંબંધ ઘટતું ન હોવાથી ક્ષણિક અસિદ્ધ થાય છે. જે ભાવથી ભાવની સિદ્ધતા સ્વીકારાતી 'હેય તે પૂર્વ ભાવમાં એટલે પદાર્થમાં ઉત્તર કાલીન પદા ને અન્વય અનુક્રમે ગુણ પર્યાયની અનુવૃત્તિ, દ્રવ્યમાં કથંચિત્ નિત્યત્વ સ્વીકારવાથી સિદ્ધ થાય છે એટલે કાર્ય રૂપે અને કારણત્વ રૂપે પર્યાયત્વ ભાવ ઘટે છે, પણ પદાર્થમાં એકાંતથી ક્ષણક્ષયિત્વ માનતાં નથી સંભવતું એજ, કહેવાનું છે. તે કારણે તે બૌદ્ધ દર્શનના પંડિત પ્રવર! જો તમે એકાંતથી સર્વથા આત્મા આદિ દ્રવ્યને એક ક્ષણમાં ઉપજીને બીજી ક્ષણમાં સર્વથા નાશ થનારા માને તે કારણના અભાવે ઉત્તર ક્ષણમાં નવા પદાર્થની ઉત્પત્તિ કેવી રીતે થાય? ન જ થાય બૌધ્ધ કહે છે કે અમે ઉત્તર ક્ષણની For Private And Personal Use Only
SR No.008687
Book TitleYogabindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1950
Total Pages827
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy