SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 66 થૈ । ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭૪ स्वस्वरूपात् किञ्चिदप्रच्यवमानो नित्य एव सन्नि આત્મા (પુરૂષ) સ્વ સ્વરૂપથી જરા પણ શ્રુત થયા વિના નિત્ય એક સ્વરૂપે અવસ્થિત રહે છે. કહ્યું છે કે“ अच्युतानुत्पन्नस्थिरस्वरूपो हि नित्यः " જે નાશ ન પામે, અને ઉપજે પણ નહિ, નિત્ય એકજ સ્વરૂપમાં રહે, તે નિત્ય કહેવાય, તેથી સાંખ્યમતે અવિકારી નિત્ય એવા આત્મા (પુરૂષ) માનેલા છે. તે આત્મા પેાતાના સ્વરૂપનું બુદ્ધિને એટલે મનને જ્ઞાન કરાવે છે, તેથી મનરૂપ જે બુદ્ધિ તે જો કે અચેતન એટલે જડ છે, તેમ છતાં મહત્ તત્ત્વરૂપ પ્રકૃતિ વિકારવાલી થતાં હું આત્મા ચૈતન્ય એવા પ્રકારના પરિણામને ધરે છે, કારણ કે તે આત્મા એટલે પુરૂષની સાનિધ્યતામાં રહેલી હેાવાથી તેમાં આત્માનુંપુરૂષનુ પ્રતિબિંબ પડે છે. અહિંમાં સાંખ્ય દર્શનકાર પંડિત ઉદાહરણમાં જણાવે છે કે જેમ સ્ફટિક રત્નની પાસે પદ્મરાગ-રાતુ રત્ન, નુઇ પુષ્પ વિગેરેના યાગ થતાં સ્ફટિકરત્ન તેવા પ્રકારના રંગ, રૂપ, આકારને ધારણ કરે છે, તેવી જ રીતે સૂર્ય અને ચંદ્રના કિરણેાના સ્પર્શ થતા તેવા પ્રકારના પ્રતિબિંબને પોતાના સ્વરૂપે ધારણ કરે છે, તેમજ વૈશ્વાનલ તથા જલકાંત રત્નના સ ંપર્ક વડે તેવાજ સ્વરૂપનું ભાન કરાવે છે, એટલે રાતા પુષ્પના સપર્ક માં પેાતે લાલપણાને, કાળા પુષ્પના સંચાગમાં કાળાપણાને પીળાપુષ્પના સંબંધથી પીળાપણાને પ્રાપ્ત થયેલા પેાતાને જેમ For Private And Personal Use Only
SR No.008687
Book TitleYogabindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1950
Total Pages827
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy