SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર પ્રાય: કરે છે એટલે મજબુત બાંધે છે. તેઓ કદાચિત પૂન્ય ભેગના સુખની લાલચથી બાહા ભાવે શ્રધા વિના દેખા દેખીથી તપ, પૂજા, દાન, વ્રત કરે છે, સાધુને વેષ પણ ધરે છે, તેથી પુન્ય કરણ કરીને દેવત્વ, રાજ્યત્વ પામે છે, પણ સંસા૨માં ભમવાને અંત નથી લાવી શકાતે. તેથી તેમને યમ નિયમ વિગેરે યોગ અતાવિક– સાચી પરમાર્થિતા વિનાને છે. તે વ્યવહાર દ્રષ્ટિથી ભલે યાગ માટે એગ્ય કહેવાય, પણ નિશ્ચય નયના મતે તે અપારમાર્થિક એટલે અતત્ત્વરૂપ જ જાણ. જો કે તેઓ પણ અધ્યાત્મ એટલે આત્મામાં ચિતન્ય ગુણ આદિ છે તેવા પ્રકારની વાત કરે, વૈરાગ્યની વિચારણા થાય, તેમજ સંસારમાં આધિ, વ્યાધિના દુઃખથી કંટાળે આવે, પણ આત્માનું પારમાર્થિક સ્વરૂપ ન જાણતા હોવાથી અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય, ઈદ્રિય વિષયની લાલસા અંતરથી નાશ નથી પામતી. તે કારણે તેઓના અધ્યાત્મ તથા ભાવના વિગેરે ભેગે અશુદ્ધતાવાળા એટલે અશુદ્ધ અધ્યવસાયરૂપ પરિણામે વાલા હોવાથી તે સારા ઉત્તમ ફલને નથી પામતા, પણ અનંત સંસારમાં નવા નવા જન્મ મરણ રૂપ અપાય એટલે દુઃખ રૂ૫ ફલ માટે જ પ્રાયઃ થાય છે. કારણ એ જ છે કે તે બાહા વેશ માત્રમાં રહેલા છે. પરંતુ સારા ઉત્તમ પ્રકારના અધ્યવસાયવાળા અધ્યાત્મ તથા ભાવના ચેગમાં તેઓનું ચિત્ત પ્રવૃત્તિ કરતું નથી, તે માટે તેઓની અચોગ્યતા છે, એટલે બહારથી વેષજ છે. તેમ બાહ્ય ચેષ્ટા રૂપ ક્રિયા પણ છે. પરંતુ તેવા પ્રકારની શ્રદ્ધાથી રહિત હોવાથી વેષ માત્રથી સાધુતા કે શ્રાવકપણું ભલે હોય, પણ શ્રદ્ધાળુ ૩૬ For Private And Personal Use Only
SR No.008687
Book TitleYogabindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1950
Total Pages827
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy