SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ઇ. સ. ૬૯ માં પંચાસરમાં જયશિખરી રાજ હતા. વિ. સં. ૮૦૨માં ચૈત્ર વદિ બીજે વનરાજે શ્રી શિલગુણસૂરિના ઉપદેશાનુસાર પાટણ વસાવ્યું. ઈ. સ. ૮૪૬ માં વનરાજ મરણ પામ્યું. તેને પુત્ર ગરાજ તે પછી ક્ષેમરાજ, ભુવડ, વરીસિંહ, નાદિય અને છેલ્લો સામંતસિંહ ચાવડો થયો. ઈ. સ. ૯૬૧ માં સેલંકી મૂળરાજ પાટણની ગાદીએ બેઠો. ઈ. સ. ૯૪૨ માં મૂળરાજ મરણ પામે. તેને પુત્ર ચામુંડ ગાદીએ બેઠે. તેના વખતમાં મહમદ ગઝનીએ સોમનાથ પર ચઢાઈ કરી. ચામુંડના વારસ વલ્લભસેન અને ભીમસેન તેની સામે હત્યા. ગીઝનીએ સોમનાથનું દહેરૂ તોડયું. ભીમદેવના પર અજમેરના રાજા વિશલદેવ ચહુઆણે સ્વારી કરી. ભીમ હાર્યો વિશલદેવે વિસનગર વસાવ્યું. અમદાવાદના સુલતાન અહમદશાહના સમયમાં વરસોઇએ તથા તેજીએ અહમદશાહને પજવ્યું. તેથી બાદશાહે વરસેજીને ૨૫૦ ગામ કલેલ સાથે આપ્યાં તથા જેતાજીને સાણંદનાં ૨૫૦ ગામ આખ્યાં. ' મહમદ બેગડાના વખતમાં કલોલના ઠાકોર વીરસિંહ વાઘેલાની સ્ત્રી રૂડારાણીચે પાંચ લાખ ટકા ખરચીને અડાણજ ગામની પાસે વાવ બંધાવી. ઈ. સ. ૧૩૯૬ માં જફરખાન ગુજરાતને સુલ્તાન થયે. ઈ. સ. ૧૪૮૩ માં મહમદ બેગડાએ પાવાગઢ લીધું ઈ. સ. ૧૫૩૧ માં મહમદ બેગડાએ માળવા છો. ઈ. સ. ૧૫૩૪ માં હુમાયુએ ચાંપાનેર લીધું. ઈ. સ. ૧૫૭૩ માં અકબરે ગુજરાત લીધું. ઈ. સ. ૧૭૩૦ માં જોધપુરના રાજા અભયસિંહ સુબાએ પેશ્વા પાસેથી અમદાવાદ કબજે લીધું. For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy