SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) સેવા આજસુધી કરી છે અને કરીશ. હિંદુમુસલમાન સર્વ કેના ભલામાં મારી એક સરખી ભાવના તથા પ્રવૃત્તિ છે. મારો જૈન ધર્મ છે અને જેનધમી સાધુ છું. જૈનધર્મના તત્વજ્ઞાન થી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અન્યધમી એ સાથે મૈત્રી-પ્રેમભાવથી વનું છું. પ્રભુ મહાવીરદેવની આજ્ઞા પ્રમાણે જ્યારે સમકિત પૂર્વક સમ ભાવ આવશે ત્યારે બુદ્ધ હિંદુ, મુસભાન, ખ્રસ્તિ, વૈષ્ણવ અને જેને વગેરે સર્વ ધર્મવાળાઓની મુકિત થશે. સર્વ ધર્મમાંથી સાત નોની સાપેક્ષાએ સત્ય બેંચું છું. સાત નાની સાપેક્ષાએ દુનિયાના સર્વ ધર્મશાસ્ત્રોમાં જે જે સત્ય છે તેને સાપેક્ષાએ સત્ય માનુ છું તેથી સર્વધર્મને જૈન ધર્મા તરીકે સાત નયનેની અપેક્ષાએ સ્વીકારીને સર્વધર્મીઓ સાથે આત્મભાવથી વર્તુ છું. કેઈપણ અન્યધર્મપર તથા અન્ય ધમી એપર દ્વેષ થતું નથી. સર્વ ધમીએના ત્યાગી સાધુઓ વગેરેના સહવાસમાં–પરિચયમાં આવું છું અને તેઓ મારા પરિચયમાં આવે છે અને આત્મજ્ઞાનથી અને પ્રભુ ધ્યાન ભક્તિથી આમાનંદરસમાં રસિક થાઉ છું. સમકિતસહ સમ ભાવની પ્રાપ્તિ અર્થાત્ રાગદ્વેષને ક્ષય થતાં જૈન હિંદુઓ તથા અન્ય પ્રીતિ, બદ્ધ વગેરે સર્વ ધર્મવાળાઓ મુક્તિ પામી શકે છે એવી મારી સાપેક્ષનયયુક્ત માન્યતા છે. ધર્મયુદ્ધથી શસ્ત્ર વગેરેથી હિંસા કરીને કેઈપણ ધર્મવાળાએ પોતાના ધમીઓની સંખ્યામાં વૃદ્ધિ કરવા ચાહે તો તે પરમેશ્વરની આજ્ઞાવિરૂદ્ધ છે એમ માનું છું. ધર્મયુદ્ધ હિંસા કરીને અન્યને વધમ બનાવવા એ પરમેશ્વરના સત્ય બહાર છે તથા તે મેહ છે. કેઈપણ ધર્મવાળાપર પિતાનું બળ ખોટી રીતે અજમાવી તેઓની સ્વતંત્રતાને નાશ કરો તે પાપ છે. શાસ્ત્રની અણીએ તથા પ્રાણુ લેવા વગેરેનો ભય બતાવી કેઈને પણ પોતાનો ધર્મ કબુલ કરાવે તે અધર્મ છે. દરેક ધર્મમાં જે જે સહગુણે તથા સત્ય હોય તે ગ્રહણ કરવું જોઈએ. પરસ્પર ભિન્ન ધર્મની વિરૂદ્ધ માન્યતાએ કલેશ ન કરે તથા અન્ય મતેના વિચારો અને આચારે કે જે પિતાના ધર્મથી વિરૂદ્ધ હોય તેથી તેઓ પર ઈષ્ય, વૈર અને હિંસાબુદ્ધિ ન ધારવી અને અન્ય મત સહિણતા બુદ્ધિ ધારણ કરવી. મુસલમાને અને હિંદુઓ વગેરેમાં For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy