SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૦ ) કપિલવસ્તુ નગરના શુદ્ધોદન રાજાના પુત્ર હતા. તેમની માતા માયાદેવી હતી, તેમની સ્રીયશેાધરા હતી. રાહુલ પુત્ર હતા, તેમણે વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી અને તેમણે આદ્ધધર્મની સ્થાપના કરી, બદ્ધધર્મ કરતાં જૈનધર્મ જુદો છે, બન્ને ધમ માં કેટલીક યમાર્દિક માખતા મળતી આવે છે તેથી જૈનધમ અને એદ્ધધર્મ એક ગણા તેા નથી. ગૌતમ બુદ્ધે પણ પશુ હિંસામય યજ્ઞાના નિષેધ કર્યો શ્રી મહાવીરદેવે કેવલજ્ઞાનથી સત્ય તત્ત્વાના પ્રકાશ કર્યાં અને હિંદુસ્તાનમાં અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય વગેરેના પ્રકાશ કર્યો. ગૃહસ્થ ધર્મ થી અને ત્યાગ ધમ થી આત્માની પૂર્ણ શુદ્ધિ કરવાના યેગેાના પ્રકાશ કર્યાં. પ્રભુએ જ્ઞાન, દર્શન,ચારિત્રનું સ્વરૂપ સમજાવ્યું. આત્મજ્ઞાનના વિશ્વમાં પ્રકાશ કર્યા. પ્રભુ મહાવીરદેવ આષાઢ સુદિ છઠ્ઠું માતાની કુખમાં આવ્યા અને ચૈત્ર સુદિ તેરસની મધ્ય રાત્રીએ જન્મ્યા. પ્રભુ મહાવીર ભગવાને કેવલજ્ઞાન પામીને ત્રીશ વર્ષ સુધી ભારતદેશમાં સં લેાકેાને ધમ ના ઉપદેશ દીધેા. શુદ્ર ચંડાલ જાતિને પણ ત્યાગ દશાના અધિકાર જણાવીને ત્યાગી બનાવ્યા. ભારતદેશ માં દયા, સત્ય, સ્તેય, બ્રહ્મચર્ય, અધ્યાત્મજ્ઞાન, યાગજ્ઞાન પ્રગટ કર્યું અને ભારત લેાકેાનાં હૃદયાને યાથી ભરી દીધાં. ત્યાગી મહાત્માએને મનાવી. હિંદુસ્તાનથી ખાદ્યના દેશામાં જૈન ધર્મના પ્રચાર કર્યાં. તેમણે કેવલજ્ઞાનથી સત્ય શ્રુતજ્ઞાનના પ્રકાશ કર્યો કે જેથી મનુષ્યા, મિથ્યા અજ્ઞાનમય શાસ્ત્રોના શ્રુતજ્ઞાનથી ખચી આત્માની પૂર્ણ શુદ્ધિ કરી મોક્ષ પામી શકે. સર્વજ્ઞ વીતરાગ મહાવીર પરમામાએ તત્ત્વજ્ઞાનના પ્રકાશ કર્યાં. ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ જીવાસ્તિકાય, ૫ પુદ્ગલાસ્તિકાય, ૬ કાલ. એ ષડદ્રવ્ય અને તેના ગુણુપર્યાયનું સ્વરૂપ પ્રકાશ્યું. ૧ જીત્રતત્ત્વ, ૨ અજીવતત્ત્વ, ૩ પુણ્યતત્ત્વ, ૪ પાપતત્ત્વ, ૫ આસ્રવતત્ત્વ, ૬ સંવરતત્ત્વ, છ નિર્જરાતત્ત્વ, ૮ ખ ંધતત્ત્વ, ૯ માક્ષતત્ત્વ એ નવતત્ત્વના પ્રકાશ કર્યો. હેય, જ્ઞેય અને ઉપાદેયનુ સ્વરૂપ ખતાવ્યું. જગમાં ષદ્રવ્યમાંના દરેક પદાર્થમાં ઉત્પાદ, વ્યય અને ધ્રાવ્યનું સ્વરૂપ દર્શાવ્યું. શ્રાવકના બારવ્રતનું તથા સાધુના પંચમહાવ્રતનું સ્વરૂપ જણાવ્યું: ૧ મિથ્યાત્વ, ૨ સાસાસ્વાદન, ૩ મિશ્ર ૪ સમ્યગ્દષ્ટિ, For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy