SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૬ ). સંપ્રદાય નીકળે છે. વિ. સં. પન્નરમા સૈકા લગભગમાં ત્રીજો વલ્લભાચાર્યને શુદ્ધાદ્વૈત માન્યતાવાળો સંપ્રદાય નીકળે છે. તેમાં જગત , જીવ, જડ પદાર્થો આદિ સર્વ છે, તે શુદ્ધ બ્રહરૂપ છે. ઈશ્વર તેજ જગત છે. ઈશ્વર તેજ જીવે છે, ઈવર તેજ કર્મ માયા છે અને જગત છો જડ પદાર્થો સર્વે હરિ અર્થાત ઈવર રૂપ છે એમ સ્વીકારે છે. રિવ जगजगदेव हरिहरितो जगतो नहि भिन्नतनु रितियस्य મતિઃ પરમાર્થતિ નિરો મવાર મુદતિ છે એ પ્રમાણે માન્યતા છે. વલ્લભાચાર્યના આચાર્યો ગોસાઈ ગોસ્વામી ગણાય છે, તે ઘર માંડી રહે છે. ક–વાસુદેવ-હરિ તેજ જગતના કર્તા હર્તા અને વારંવાર અવતાર લેનાર છે એમ તે માને છે. શંકરાચાર્ય, રામાનુજ, વલ્લભાચાર્ય, નિંબાર્ક વગેરે ઈશ્વર વારંવાર ભક્તોના રક્ષણાર્થી અવતાર ધારણ કરે છે એમ માને છે. વિષ્ણવ સંપ્રદાયવાળા વિષ્ણુને જ માને છે શંકરાચાર્ય સંપ્રદાયવાળા બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વરી દેવીઓ વગેરે સર્વને બ્રાના રૂપક તરીકે માને છે. નૈયાયિક દર્શન, સાંખ્ય દર્શન, વૈશેષિક દર્શન, ઉત્તર મિમાં સા અર્થાત વેદાંતદર્શન, પાતંજલદર્શન, બદ્ધ દર્શન અને જૈનદર્શન એ પ્રમાણે જ દર્શન અને આઠદર્શન છે. તેમાંથી વૈદિક હિંદુઓ, પદ્ધ અને જૈન દર્શન વિનાનાં ષ દર્શનને માને છે. સનાતન હિંદુઓ સાંખ્ય દર્શનને માને છે. સાંખ્ય જગતકર્તાતરીકે પ્રકૃતિને માને છે, અને ઈશ્વરને જગતકર્તા તરીકે માનતા નથી, એમ કપિલષિ પ્રતિપાદન કરે છે. પૂર્વમિંમાસા અર્થાત્ પૂર્વકાલીન વૈદિક દર્શન મત વાળાઓ જગને કર્તા ઈશ્વર છે એમ માનતા નથી, તેમજ ઇવર છે એમ પણ માનતા નથી. અનાદિ કાળથી સનાતન વેદે છે. વેદોનો રચનાર ઈશ્વર નથી. વેદના મંત્ર પ્રમાણે યજ્ઞાદિક કર્મો કરવાં જોઈએ અને તેથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એમ તે દર્શન સ્વીકારે છે. નિયાયિક અને વૈશેષિક દર્શનમાં જગને કર્તા ઈશ્વર છે એમ પ્રતિપાદન કર્યું છે. વેદાન્તદર્શનમાં દશ ઉપનિષદ વગેરે ઉપનિષદેનું તત્ત્વ For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy