SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) શંગ તરફથી દેશીવાડામાં જૈન ધર્મશાળા બાંધવામાં આવી છે. સં. ૧૯૦૫ લગભગમાં ધર્મશાળા બાંધવાનું કામ પૂર્ણ થયું હતું. શેઠાણું રૂખમણું તથા મેતિકુંવરના ગુરૂશ્રી નેમિસાગરજી મહારાજ હતા. તે ઉપાશ્રયમાં ઉતરતા નહોતા પણ ધર્મશાળામાં ઉતરતા હતા, તેથી ધર્મશાળા બંધાવવાની લાગણું શેઠાણીના મનમાં પ્રગટી હતી. શ્રી નેમિસાગરજી મહારાજ જ્યારે વિજાપુરમાં પધારતા હતા ત્યારે ઘણી વખત તેમાં ઉતરતા હતા, તેમાં તેમનાં ધર્મશાસ્ત્રો મૂકવામાં આવ્યાં હતાં અને ત્યાં કુલા બાદર વગેરે તે પુસ્તકોની જાળવણુ કરતા હતા. વિ. સં. ૧૯૬૨ ની સાલમાં મોહનભાઈ તારાચંદે શ્રી નેમિસાગરજીને ભંડાર અમને સોંપે હતે.દેશી દલસુખભાઈ નથુભાઈ પહેલાં અમદાવાદવાળા તરફથી દેખરેખ રાખતા હતા. હાલમાં દેશી પિપટલાલ દલસુખભાઈ દેખરેખ રાખે છે તથા વહીવટ કરે છે. જૈન યાત્રાળુઓને તેમાં ઉતરવા દેવામાં આવે છે. જૈન સાધુઓ અને સાધ્વીઓ પણ ત્યાં ઉતરે છે. જેને નવકારશી નાત વિગેરે તેમાં કરીને જમે છે. તેની પાસે એક કુઈ છે તેથી જલની સગવડ છે. શેઠ હઠીશિંગભાઈએ અમદાવાદ મળે બહારની વાડીના દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી હતી તે વખતે શ્રી નેમિસાગરજી ત્યાં ભાવનગરથી એકદમ વિહાર કરીને પાંચ દિવસમાં આવ્યા હતા અને મુહૂર્ત બદલવા જણાવ્યું હતું; પણ મુહૂર્ત ન બદલ્યું અને પ્રતિષ્ઠા કરી તે વખતે વીશ હજાર જેને ભેગા થયા હતા અને એકદમ કેલેરા ફાટી નીકળે તેથી એક હજાર જેને કેલેરાને ભેગા થઈ પડ્યા હતા, તેમાંથી ઘણું મરી ગયા કેટલાક બચ્યા. જયાં ઘણુ મનુષ્યો ભેગા થાય છે અને કુવા વગેરેનાં પાણું બગડેલાં, દૂષિત, કોલેરાના જતુવાળા હોય છે તો તેના પાનથી કેલેરા ફાટી નીકળે છે. હઠીશંગ શેઠે આબુજી વગેરેને સંઘ કાઢીને પંચતીથીની યાત્રા કરી હતી. તેમણે તારગાજીની યાત્રા કરવા તથા કુંભારીયાની યાત્રા કરવા સંઘ કાઢ્યો હતે. વડનગરના એક યાચક યરામ બ્રાહ્મણે હકીશંગ સંઘવી પાસે ઘણ રૂપીયાની દામ દક્ષિણ માગી તેથી હઠીસંગ સંઘવીએ ના પાકે તેથી તેને સંઘવીપર ગુસ્સો આવ્યા, દૈવયોગે તારંગાથી કુંભા For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy