SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. દાન તેજ પરમ ઉત્કૃષ્ટ ધર્મ છે, દાન પરમ ક્રિયા છે, દાન તે” પરમ માર્ગ છે. માટે હે જીવ ! દાન દેવામાં મન કર. અભયદાનથી દયા થાય છે, દાનથી પરોપકાર થાય છે, સર્વ ધર્મ સમુદાયને દાનમાં અંતર્ભાવ થાય છે. બ્રહ્મચારી પાઠ કરીને અને ગૃહસ્થી દાન કરીને શુદ્ધ થાય છે. ત્રણ સાનને ધારણ કરનાર પરમાર્થ જ્ઞાતા શ્રી તીર્થંકર ભગવાન પણ દીક્ષા સમયે દાન કરે છે. દાન ગ્રહણ કરનારને તો દાન તૃપ્ત કરે છે, અને સાંવત્સરિક દેનારને અક્ષયપુણ્ય પ્રાપ્ત થાય છે. માટે દાન સમાન બીજો કોઈ ઉપાય મોક્ષ પ્રાપ્ત કરવામાં નથી; એમ શાસ્ત્રકાર દાનનો મહિમા વર્ણવે છે. દાનના પાંચ પ્રકાર છે. ૧ અભયદાન, ૨ સુપાત્રદાન, ૩ ઉચિતદાન, ૪ અનુકંપાદાન, ૫ કીર્તિદાન. અભયદાન અને સુપાત્ર દાન એ બે દાનથી મુક્તિની પ્રતીતિ થાય છે. બાકીના ત્રણ દાનથી મુક્તિની પ્રાપ્તિ નથી. કહ્યું છે કે - રાજેન ચ ત્તિ રા યત્તિ મામાદ્યમિ કા મથાન ત્તિ ના રહીત્તિ તિરુમ રહે છે કીર્તિની બુદ્ધિથી દાન દેવાથી જે કીર્તિ થાય છે તે ફક્ત યાચકના મળે છે, અને અભયદાનથકી થનાર કીર્તિ તે સમસ્ત ત્રણ ભુવનમાં પ્રસરે છે. સાત ક્ષેત્રે ધન વાપરવું. જે કાળમાં જે ક્ષેત્ર સીદાતું હોય તેમાં ધન ખરચવાથી વધારે લાભ પ્રાપ્ત છે. નવકારશી વગેરે કરી આત્મહિત કરવા પ્રયત્ન કરો. જેનો નાશ પર્યુષણ પર્વમાં થવા દે નહીં. ધનથી વા રાજાની સહાયથી કસાઈ લેક પર્યુષણ પર્વમાં જીવ મારે નહિ તેમ કરવું. પંખીઓને પણ કોઈ મારે નહિ તેમ કરવું. જેને અભયદાન આપવું તે મોટો ધર્મ છે. એક રાજાને રાણીઓ હતી તેમાંથી અણમાનીતી રાણીએ રાજાને કહી ચોરને અભયદાન અપાવ્યું, તેથી ચોર ઘણે આનંદ પામે. તેમ બીજા જીવને મારતાં છેડાવવાં એ મોટું પુણ્ય છે. રાજા અને તેની રાણીઓ અને ચેર સંબંધી અધિકાર અષ્ટાહિકા વ્યાખ્યાનમાં આવે છે. શ્રી સદગુરૂ પાસે જઈ તે શ્રવણ કરવું. અહિંસા પરમો ધર્મ: આ વાકયને સમજી જીવ દયા ચિંતવવી. જામનગરના રાજાએ જાહેર કર્યું છે કે આખા શ્રાવણ માસમાં પર્યુષણના દિવસોમાં જામનગરના રાજ્યમાં કોઇએ છવ માર નહિ. આ હુકમના અમલ માટે પિલીસને દેખરેખ રાખવા ફરમાવ્યું છે. આ ઠરાવ બહુ અગત્યનું છે. શ્રી હીરવિજય સૂરીશ્વર મહારાજના પ્રતિબોધથી અકબર પાદશાહે પર્યુષણ પર્વ વગેરે ઘણું તહેવારોમાં જીવહિંસા કરવાને નિષેધ કર્યો છે. દરેક પ્રકારે જીવહિંસા થતી અટકાવવી તે શ્રાવકનું કર્તવ્ય છે. પુણ્ય વેગે મળેલો પૈસો મૃત્યુ પશ્વાત સાથે આવનાર નથી. માટે તેને પ્રેમ For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy