SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ વચનામૃત. ~ ~~ ~ ~ ~ સાવીને રાજાના ઘરને આહાર કહ્યું નહીં; કારણ કે અપમાન-બીજા મનમાં અપમંગલ વિગેરે દેશો ઉત્પન્ન થવાથી જૈન શાસનની લધુતા થાય ૫. શ્રી વીતરાગના ધર્મને વિષે પુરૂષ પ્રધાન ધર્મ પ્રવર્તે છે, માટે સે વર્ષની સાધ્વી હોય તો પણ એક દિવસના દીક્ષિત સાધુને વાંદે એ કુતિકર્મ કલ્પ છે. ૬. છઠ્ઠો વ્રત કલ્પ કહે છે. બાવીસ તીર્થંકરના વારાના સાધુ તથા સાધીને ચાર મહાવ્રત રૂ૫ ધર્મ કહે છે. એવું વ્રત અને પાંચમું વ્રત એક કરી માને છે. એટલે સ્ત્રીને પણ પરિગ્રહ માની પરિગ્રહમાં તેને અંતભવ કરે છે. કારણ કે જ્યાં સ્ત્રી ત્યાં પરિગ્રહ અને જ્યાં પરિગ્રહ ત્યાં સ્ત્રી હોય છે. માટે બાવીસ તીર્થકરના સાધુને ચાર મહાવ્રત જાણવાં અને પ્રથમ તથા ચરમ તીર્થંકરના સાધુ સાધ્વીને સ્ત્રી જુદી અને પરિગ્રહ પણ જુદો, માટે પંચ મહાવત જાણવાં. પહેલા અને ચરમ તીર્થંકરના સાધુને છ રાત્રી ભોજનવ્રત મૂલ ગુણમાં છે અને બાવીસ છનના સાધુને રાત્રી ભજનવત ઉત્તર ગુણમાં છે. ૭. છ ક૫–પ્રથમ અને ચરમ તીર્થકરના સાધુઓને વડી દીક્ષાથી નાના મોટાપણું ગણાય છે. અને બાવીસ તીર્થકરના સાધુઓને દીક્ષાના દિવસથીજ નાના મોટાપણું ગણાય છે. પ્રથમથી જ વિશુદ્ધ ચરિત્ર પાળે છે માટે. ૮. પતિક્રમણ કલ્પ-બાવીસ તીર્થંકરના સાધુ જ્યારે પોતાને પાપ લાગ્યું જાણે ત્યારે પ્રતિક્રમણ કરે, અન્યથા ન કરે, અને પહેલા તીર્થકરના સાધુ તથા છેલ્લા તીર્થંકરના સાધુઓ તે પાપ લાગે વા ન લાગે તે પણ પ્રતિદિવસ પ્રતિક્રમણ કરે. બાવીસ તીર્થંકરના સાધુઓ દેવસિક અને રાઈ એ બે પ્રતિક્રમણ કરે, અને પ્રથમ તથા ચરમ તીર્થકરને વારે વસિકાદિક પાંચ પ્રતિક્રમણ કરવાનાં કહ્યાં છે. ૮. માસ કલ્પ–શ્રી બાવીશ તીર્થકરના સાધુઓ ઋજુ અને પંડિત માટે તેમને ભાસકલ્પ કરવાનો નિયમ નથી. જે લાભ જાણે તે એકજ ક્ષેત્રમાં ઘણુ કાળ સુધી રહે, અને પહેલા તથા છેલ્લા તીર્થકરના સાધુ તે એક માસ પર્યત રહે. માત્ર ચોમાસામાં ચાર માસ પથત રહે; કેમકે ધાર રહેવાથી ગૃહસ્થ સાથે પ્રતિબંધ થાય, હલકાપણું પમાય. “ અતિ પરિચયાત અવજ્ઞા” એ વાકયને ભાવાર્થ વિચારવા લાયક છે. એક ઠેકાણે રહેRાથી દેશ વિદેશ સંબંધી જ્ઞાન ન થાય. કદાચિત દુનૈિક્ષ વૃદ્ધાવસ્થાદિક રિણે રહેવું પડે તોપણુ વસતિપલટણ કરે. પોળ પાડે પલટાવે. ઘર વટાવે. સયારાની ભૂમિ પલટાવે. એમ ભાવથી માસ ક૫ કરે. For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy