SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. ~~ ~ साधु कोन्फरन्स. પચમકાળમાં પણ પરમ પવિત્ર પ્રવચન પંથ પરિપૂર્ણ પ્રકાશિત દેખાય છે. મહા પ્રભુજી શ્રી મહાવીરસવામીનાં મહાવાક્ય મહત્વતા ધરાવે છે. જગદ્ગુરૂ હેમાચાર્ય, હરિભદ્ર, હીરવીજય વગેરેના વિજયધ્વજો ઠામ ઠામ ફરક્યા જ કરે છે. આવા કીંમતી અરસામાં જેન કૉન્ફરન્સ ભરવામાં ફતેહ મળે એ સેનામાં સુગંધ મેળવ્યા બરાબર છે. જૈન શ્રાવકે દરેક કલેશને દૂર હાંકી, ધર્મને જ વળગી પડી, ભ્રાતૃભાવ વધારી, આહંત શાસનને એક સામ્રાજ્ય ( એકત્રછત્રીરાજ્ય) કરવા પ્રયત્ન કરે છે. ત્યારે મુનિ મહારાજે આવા કાર્યને હાથ પર ધરે તે શું ન કરી શકે ? ખરેખર મુનિઓને આમાં પુખ્ત વિચાર કરી મંડળ એકત્ર કરવું જ ઘટે. મુનિઓ દરેક બાબતમાં આગેવાન ગણાય છે. માટે આવા કાર્યોની આગેવાની કરવામાં વિભૂષા છે. જેમ જેમ જમાનો બદલાય છે, તેમ તેમ કાયદાઓ પણ બદલાય છે, અને તેથી આપણને વધારે શિક્ષણ મળે છે. આમાં કેઈએ વહેમ રાખ્યા જેવું નથી, પણ પ્રેમ રાખી પૂર્ણ કરવું. - વીરવંશી નામ ધરાવી વિક્ષેપ વધારે એ ભૂષણુને ઠેકાણે દૂષણ જેવું ગણાય. આવતા માઘ માસમાં શ્રીયણજી સ્થળમાં કોન્ફરન્સ સંબંધી સૂચના થઈ ગઈ છે. તો તેને માટે પ્રેમ ધારણ કરી ધર્માભિમાન લાવી ઉત્સાહી થવું યંગ્ય છે. વિદ્યાનુનિ વર્ગ નિખાલસ મનથી અન્યની વીનતી ધ્યાનમાં લઈ બંધ પડેલ ધર્મકાર ખુલ્લો કરશે; તે પ્રાયઃ આ કાર્ય સહજ અને સરલ જેવું લાગશે. નિયમ છે કે જે કાર્ય નથી થયું, તે કાર્ય પ્રથમ અગમ્ય દેખાય છે. થયા પછી તેની એક પરિસીમા હદ બંધાઈ જાય છે. ઉપકાર વ્રત ધારણ કરશો કે, જેથી આપણું પાંચ મહાવ્રતો બળીષ્ટ થશે. જ્યારે ત્યારે પણ તમારાથી જ થવાનું છે. બીજો કોઈ કરવા આવશે નહીં. માટે હે મુનિરાજે ! સાવધ થાઓ ! સાવધ થાઓ !! સાવધ થાઓ ! ! ! यतो यतो निश्वरति, मनश्चंचलमस्थिरं । ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥ સ્વાભાવિક રીતે ચંચલ એવા મનને સ્થિર કર્યા છતાં, પણ તે સ્થિર ન રહેતાં જે જે વિષય તરફ જાય, તેને વિષયોમાંથી તેને પાછું વાળીને આત્માને વિષેજ રિયર કરવું. સર્વ વિષમાંથી મનને ખેંચી એક ઠેકાણે જોડવું. સવિચારથી મન નિર્મળ થાય છે, ત્યારે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy