SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ વચનામૃત. પુદ્ગલ ખાવું પહેરવું, પુદ્ગલ વસતિ મહેલ; વાસ વસી તેમાં સુધા, માની સુખની સહેલ રમુ હવે નહિ પુદ્ગલે, જેની કુંડી ચાલ સંગે તેની માહ, થવું પડયુ એ હાલ મિત્ર નહીં તે માહુરા, અવળા તાસ સ્વભાવ: પરપુદ્ગલ મમતાથકી, મનીયા એહુ બનાવ. સ્ આ પ્રત્યક્ષ ઘટપટ ડાદિ વસ્તુ ચક્ષુષા વિષયગાચર થાય છે તે પાગલિક વસ્તુ જાણવી. અને તે આત્મદ્રવ્યથી બિન્ન છે. એમ શ્રી સર્વેન મહારાજા શાસ્ત્રમાં કથે છે. પુદ્ગલ સ્વરૂપ જે ધન ધાન્યાદિકમાં મારાષણાની બુદ્ધિથી રાચતાં માચતાં આત્માના ગુણા હણાય છે. હું ચેતન ! તુ પર વસ્તુને પેાતાની માની તૃષ્ણા જાલમાં ક્રૂસાય છે. સ્વઆત્મસુખના અજાણુ બની વિવેક નયનન્યાત્મા બની અત્રતત્ર ઐહિક સુખની ભ્રાંતિએ ભ્રમણ કરતા મનેારાજ્યની સંકલ્પ વિકલ્પ શ્રેણીએ ચઢયા છતા ધૂત્ર ઇન્દ ગ્રહણ પુરૂષ પ્રયત્નવત ક્ષણિક તુચ્છ સુખની લાલસાએ જડરૂપ પૃથ્વીને પાતાની માની તદર્થે સહસ્રશઃ જીવ ધાતક બની સ્વમહત્વતામાં અન્ય ભવ્યાને લઘુ ગણી ધરવસ્તુમાં મમતાને દૃઢભાવ સંકલ્પી રાત્રી દિવસ અસત્ - ચરામાં ગુમાવીને હું આત્મન! તું મનુષ્ય જન્મ હારે છે પેાતાનાથી અત્યંત ભિન્ન પૃથ્વી, ધન, અને મહેલ આદિ વસ્તુઓ કોઇની થઈ નથી અને થવાની નથી. અમુક વસ્તુ મારી છે એમ માનવું તે કેવલ ભ્રાંતિ છે. હે જીવ! તું મનમાં વિચાર કે ધરબાર, સગાંસંબંધી કાઇનાં થયાં નથી અને થવાનાં નથી. આ શરીર પણ તારૂં નથી. અનંતા તેં શરીર ધારણ કર્યા અને અનંતાં મૂક્યાં પણ જે વસ્તુ આત્માની નથી તે આત્માની શી રીતે થાય ? હું જીવ ! તે કાષ્ઠને મિત્ર કર્યાં અને કેને તું શત્રુ માને છે. તે પણ તારી બ્રાંતિ છે. તારા કાઇ શત્રુ નથી, તારૂં બગાડવા કોઇ સમર્થ, નથી આત્માને સુખ દુ:ખમાં અન્ય તે નિમિત્ત માત્ર છે. ક્રોધ માનાર્દિક કરતા તું કર્મ જાળમાં સપડાય છે. વળી હે ચેતન ! તું વિચાર કે, જે ધર, હાટ, મહેલ, બંધાવતાં, રક્ષણ કરતાં આત્માએ જરા પણ શાંતિ લીધી નહીં તે ધર હાટ મૂકી, સગાં સંબંધી મૂકી જીવ ભરવા સમયે ટગમગ જોતા જીવવાની સહસ્રશઃ આશા કરતા પશુ પરભવમાં ચાલ્યેા જાય છે. અને સાથે કાઈ પણુ વસ્તુ આવતી નથી. જ્યાં જે વસ્તુ તે ત્યાંને ત્યાં રહે છે. અનંતાભવ કર્યાં પણ કાઇ વસ્તુ સાથે આવી નહીં. તેા હવે ચેતન વિચાર કે તારી સાથે શું આવનાર છે? પાદ્ગલિક વસ્તુ ઉપર શા દ્વેષ કરવા? કેટલીક વસ્તુઓને સંયોગ થાય છે અને Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy