SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ વચનામૃત. આત્માની શંકા આત્મા સ્વયમેવ કરે છે, જે શંકાને કરનાર છે, તે જ આત્મા છે. પિતાનામાં અનંત ગુણો રહેલા તે અનાદિકાળ કમના યોગે તિરે ભાવે રહ્યા છે, તેનો અનુભવ થાય તે હસ્તામલકત સર્વ જગતને દષ્ટા આત્મા થાય; એ આત્માનું સ્વરૂપ ધ્યાનયોગે સત્ય ભાસે છે, ત્યારે તેની જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થાય છે. પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્માઓનું અસ્તિત્વ છે. સર્વને એક આત્મા નથી. જે સર્વને એક આત્મા હોય તે બીજા પુરૂષને દુખ થતાં વા સુખ થતાં પિતાને દુઃખ સુખની લાગણી થવી જોઈએ, અને થતી તે નથી. માટે પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્મા માનતાં અને ભિન્ન ભિન્ન કમ લાગેલાં માનતાં સર્વ શંકા ટળે છે, અને અનુભવમાં પણ તેમ ભાસે છે. એમ પ્રથમ સ્થાનક સ્વબુદ્ધિ અનુસારે વિચારતાં આત્મસ્વરૂપ પ્રગટે છે. તેની વિચારણામાં જે આનંદ થાય છે, તે આનંદનું સુખ આત્મા જ જાણે છે. પોપવા સતi વિભૂતિ પરોપકારને માટે જ પુરૂષો તન મન અને ધનને ધારણ કરી પિતાનું જીવન સફળ કરે છે. દુનિયામાં ઉત્પન્ન થઈ. કંઈ પણ શરમાદિત કર્યું નહીં, પરોપકાર કર્યો નહીં, તે મનુષ્યનું આયુષ્ય અજાગલસ્તનવત્ નિષ્ફલ જાણવું. તે શું પરોપકાર કૃત્ય કર્યું ? તારી સાથે તારી લક્ષ્મી ક્યાં સુધી આવશે? કુટુંબ કબીલો તારે સગો કયાં સુધી છે ? વીજળીના ચમકારાની પેઠે ક્ષણિક આયુષ્ય વિષે શો ભરે, તે હે ચેતન ! વિચારી જે સમુદ્રમાં, નદીઓમાં ઉડતી લહેરીઓની દશાની પેઠે તે સંસાર સમુદ્રમાં અનેકવાર જન્મ મરણ કર્યા. વક્તા ગયા, શ્રોતા ગયા, રાજા ગયા, રંક ગયા, દુઃખી ગયા, તારી કાયા અમર રહેવાની નથી. જળમાં મીઠાને પીંગળતાં શી વાર ? કેઈનાં શરીર દટાયાં, કેઇનાં મશાણમાં બળે છે, કોઈ શરીરની રાખ થઈ ગઈ, માટીનું શરીર માટી ભેગું મળી જશે, પાણી વલયાં માખણ નીકળશે નહીં. જમ્યા તેટલા અવશ્ય મરી જવાના. તારા દેખતાં તારું આયુષ્ય ખુટે છે. નિંદા, દ્વેષ, અદેખાઈ, મમતા માયામાં કેમ લપટાય છે? એથી તારું હિત નથી. તવની બુદ્ધિથી સદ્ધર્મ ગ્રહણ કરી લે ? તરવું કે બુડવું તારા સ્વાધીન છે, તારું હૃદય તું કેવો છે તેની સાક્ષી પુરે છે. અન્ય ગમે તેમ કહે. માટે પ્રમાદ ત્યાગી ધર્મ કર કે જેથી પુનમય તારા પ્રતિમા સને. श्री अरिहंतनी प्रतिमा भावअरिहंतनी मुद्धिथा आराध्य मान्य પૂજે છે. શ્રી અહિંત ભગવાનના ચારે નિક્ષેપ સાક્ષ સુદ્ધિથી પ્રભાस्मपद सक्ष्य समय आराध्य छ, यतः जत्थयजं जाणिज्जा निखेवं निखिवे નિરર્સ સાથrganળા ત્રફલાય નિશિવેતરથ ? જગમાં For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy