SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ વચનામૃત. હિત થવાનું નથી. તુ મનમાં જાણે છે કે હું સમજું છું પણ હજી તે મિથ્યા છે, કારણ કે હજી તું સ્વાત્મહિતમાં પ્રવૃત્તિ કરતો નથી. કર્મ કલંક વડે સહિત તું છતાં હે આત્મન્ ! તારે વસવાનું સ્થાન તો તપાસ. લાંબા લાંબા વાંકા વળેલા હાડકા લોહી માંસની પેશીઓથી બનેલા શરીરમાં તારો નિવાસ છે. અશુચિના સ્થાનભૂત શરીરમાં તું રહે છતાં પોતાને પવિત્ર, ધર્મ વિના શી રીતે માની શકશે ? શરીર કુમિત્ર સરખું જાણી જરામાત્ર તેને વિશ્વાસ કરીશ નહીં. રામ, પાંડવ, અને દુર્યોધન સરખા પણ શરીર મુકી ચાલ્યા ગયા તે પાણીના પરપોટા જેવું આ દેખાતું શરીર કયાં સુધી રહેશે? વખત ચાલ્યો જાય છે, મૃત્યુ એક દિન પ્રાપ્ત થશે. હે જીવ તારા દેખતાં હજારે જીવ ચાલ્યા ગયા, તેમ તું પણ ચાલ્યો જઇશ. મનુષ્ય ગતિમાં પરણાગતિને ભોગવનાર છવ કંઈ ધર્મકૃત્ય કરી લે અને સશુરૂ સેવન કરી ચાઃ ધર્મનું સ્વરૂપ જાણું અહિતમાં પ્રવૃત્તિ કર કે જેથી કર્મ કલંકને નાશ થતાં અધ્યાત નિર્મઢ મારા ઘરમાતમો બની મોક્ષસ્થાનમાં સાવિ અનંતને ભાંગે શાશ્વત સ્થિતિ કરશે. यतो यतो निश्चरति मनश्चंचलमस्थिरं ततस्ततो नियम्यैतदात्मन्ये. વ વ ત ા - સ્વાભાવિક રીતે ચંચળ એવા મનને સ્થિર કર્યા છતાં પણ તે સ્થિર રહેતું નથી તે જ્યારે તે જે જે વિષય પ્રતિ ગમન કરે ત્યારે તેને તે તે વિષયમાંથી પાછું વાળીને આત્માને વિષેજ સ્થિર કરવા પ્રયત્ન કરવો. આ આધ્યાત્મિક પદાભિલાષિએ સર્વ વિષયમાં ભમતા એવા મનને ખેંચીને આત્મ સ્વરૂપે સ્થિર કરે છે. જ્યાં સુધી મર્કટવત વૃત્તિ મનની હેય છે ત્યાં સુધી પગલિક સુખની લાલસા સ્વતઃ આત્માને પિતાના પ્રતિ આકર્ષે છે. આ દુનીયામાં અનેક પ્રકારના પદાર્થો છે. કેટલાક તો તેને ઉપભોગ કરવો તે જ મનુષ્યનું કર્તવ્ય છે, એમ અજ્ઞાનથી વદે છે. સાંસારિક પદાર્થોને પોતાને માટે નિર્માણ કરનાર કોઈ નથી. એ સાંસારિક પદાર્થો ક્ષણિક છે. કોઈ દિવસ પિતાના થયા નથી અને થવાના નથી. બટાટા, લસણ, અને માંસ આદિ પદાર્થો મનુષ્યના ભક્ષાર્થે બનેલાં છે. એમજ જે માની લેવામાં આવે તે મનુષ્ય સ્ત્રી વિગેરે વાઘના ભક્ષાર્થે બનેલાં છે. એમ માની વાબની પાસે જઈ પોતાનું શરીર તેને અર્પણ કરવું જોઈએ, પણ તેમ કોઈ કરતા નથી તેનું કારણ સહજ સમજવામાં આવશે. એકે ક્રિય જીવથી આરંભીને પચેપ્રિય છે પર્યત પોતપોતાનું જીવિતવ્ય સર્વે ઈચછે છે માટે તેમના ઉપર હિંસાની બુદ્ધિ દેડાવવી નહીં. તૃણથી તે મણિ પર્યત પદાર્થોને સમ For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy